Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

સરીગામ પંચાયતમાં ઉપસરપંચ પદે સંજયભાઈ બાડગા બિનહરીફ વિજેતા રાકેશભાઈ રાયનામાર્ગદર્શન હેઠળ સંપૂર્ણ અને સમતોલ વિકાસની નેમ સાથે સરપંચ સહદેવભાઈ વઘાત અને ઉપ સરપંચ સંજયભાઈ બાડગાએ સંભાળેલો ચાર્જ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.24
આજરોજ સરીગામ પંચાયતના ઉપસરપંચની યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં સરીગામ વિકાસ મેચ પેનલના અને વોર્ડ નંબર 15 ના સભ્‍યશ્રી સંજય ભાઈ મંગળભાઈ બાડગાનો અપેક્ષા મુજબ બિનહરીફ વિજય થવા પામ્‍યો હતો.
આ સાથે જ હરીફ પેનલના આગેવાન શ્રી દિપકભાઈ મિષાી અને એમની ટીમે ઉપસરપંચનું પદ હાંસલ કરવા કરેલા ધમપછાડા શ્રી રાકેશભાઈની રણનીતિ સામે નિષ્‍ફળ જવા પામી હતી. ઉપસરપંચની ચૂંટણી પ્રક્રિયા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી શ્રી વિવેકભાઈ ગઢવીની હાજરીમાં પૂર્ણ થવા પામી હતી.
આ પ્રસંગે સરીગામ વિકાસ મંચ પેનલના પ્રણેતા અને માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયે સરીગામ ગ્રામ પંચાયતને વિકાસની નવી બુલંદી પર લઈ જવાની ખાતરી આપી હતી. આ અગાઉ સરીગામ પંચાયતના સરપંચ તરીકે શ્રી સહદેવભાઈ વઘાતનો ભવ્‍ય વિજય થવા પામ્‍યો હતો. પરંતુ સભ્‍યોની બહુમતીમાં માત્ર બે સભ્‍યોની પાતળી સરસાઈ મળતા વિરોધપક્ષના આગેવાનોએ ઉપસરપંચ પદ છીનવી લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.
ચાલી રહેલી ઘટનાક્રમમા એક સાંધે ત્‍યાં તેર તૂટે તેવી પરિસ્‍થિતિ નિર્માણ થઇ રહીહતી. શ્રી દિપકભાઈ મિષાીની પેનલના સભ્‍યોમાંથી ઘણાને શ્રી રાકેશભાઈ રાયની વિકાસના કામ કરવાની શૈલીથી પ્રભાવિત હોવાનું આકલન થઈ રહ્યું હતું. જેના કારણે ઉપસરપંચની ચૂંટણીમાં શ્રી રાકેશભાઈ રાયના પેનલના ઉમેદવાર શ્રી સંજયભાઈ મંગળભાઈ બાડગાને સમર્થન આપવાની ફરજ પડતાં બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
ઉપસરપંચની ચૂંટણી બાદ સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને ઉપ સરપંચ શ્રી સંજયભાઈ બાડગાએ ચાર્જ સંભાળતા એમના માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયના માર્ગદર્શન અને દોરવણી હેઠળ સૌનો સાથ અને સૌનો વિકાસની નેમ સાથે સંપૂર્ણ અને સમતલ વિકાસ કરવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે શ્રી રાકેશભાઈ રાય અને તેમની ટીમ શ્રી વિપુલભાઈ રાય, શ્રી વિનોદભાઈ ઠાકોર સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી. તેમજ હરીફ પેનલના આગેવાનો શ્રી દિપકભાઈ મિષાી, ભાજપ તાલુકા પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, અગ્રણી શ્રી હારૂનભાઇ માલવીયા, શ્રી સંદીપભાઈ આરેકર, શ્રી શેખરભાઈ આરેકર વગેરેની હાજરી જોવા મળી હતી.

Related posts

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે

vartmanpravah

વાપીના વિવિધ વિકાસ કામોને વધુ વેગથી પુરા કરવા પાલિકાની ટીમ ગાંધીનગર પહોંચી

vartmanpravah

સંઘપ્રદેશની આગામી 2પ વર્ષની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખી રસ્‍તા અને વ્‍યવસ્‍થાને અપાઈ રહેલો ઓપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

સેલવાસના શ્રી પબ્‍બા જગદીશ્વરૈયાએ પોતાનો જીવનકાળ શિક્ષણ આપવામાં પસાર કર્યો અને મૃત્‍યુ બાદ પણ દેહદાન કરી જીવંત રાખી શિક્ષક ધર્મની જ્‍યોત

vartmanpravah

Leave a Comment