(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસના શ્રી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર પરિવાર દ્વારા પિતૃ કૃપાર્થે શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન શ્રી રામજી રામેશ્વર મહાદેવ મંદિર અને ગાયત્રી મંદિર ગ્રાઉન્ડ, આમળી સેલવાસ ખાતે કરવામાં આવ્યું છે. જેનોભવ્ય શુભારંભ થયો છે. આ પ્રસંગે કથાનું રસપાન પ્રવક્તા શ્રી દિલીપભાઈ પંડયા (ભૂતપૂર્વ વિદ્યાર્થી સાંદિપની નિકેતન)તેમની મધુર વાણીમાં કરાવી રહ્યા છે. શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. 8 ઓક્ટોબરના રવિવારે કથા-યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવશે. શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું છે.