(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ પ્રશાસનના નેશનલ ગ્રામીણ આજીવિકા મિશન(એન.આર.એલ.એમ.)ના સહયોગથી દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની સેલ્ફ હેલ્પ ગ્રુપની 3 બહેનોને સ્વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ સરપંચ શ્રી મુકેશ ગોસાવી દ્વારા કરાવવામાં આવ્યો હતો.
દમણવાડા ગ્રામ પંચાયતની શ્રીમતી કલ્પનાબેન હળપતિ, શ્રીમતી પાર્વતીબેન બારી તથા શ્રીમતી જોશિલાબેન બારીને પ્રથમ ચરણમાં પોતાની આજીવિકા માટે સિલવન દીદી લારી માટે પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે દમણવાડા ગ્રામ પંચાયતની બહેનોના સશક્તિકરણ માટેનો એક નવો માર્ગ પણ શરૂ થતાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર પ્રગટ કરવામાં આવી રહ્યો છે.
Previous post