October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ પ્રશાસનના નેશનલ ગ્રામીણ આજીવિકા મિશન(એન.આર.એલ.એમ.)ના સહયોગથી દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ સરપંચ શ્રી મુકેશ ગોસાવી દ્વારા કરાવવામાં આવ્‍યો હતો.
દમણવાડા ગ્રામ પંચાયતની શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ, શ્રીમતી પાર્વતીબેન બારી તથા શ્રીમતી જોશિલાબેન બારીને પ્રથમ ચરણમાં પોતાની આજીવિકા માટે સિલવન દીદી લારી માટે પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસે દમણવાડા ગ્રામ પંચાયતની બહેનોના સશક્‍તિકરણ માટેનો એક નવો માર્ગ પણ શરૂ થતાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

Related posts

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લામાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં 13053 વિદ્યાર્થીઓ હાજર અને 579 ગેરહાજર

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment