February 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

હાઈવે ઓથોરિટી, પીડબ્‍લ્‍યુડી તથા સ્‍થાનિક તંત્ર એકબીજાને આપી રહી છે ખો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી તાલુકાના સોનવાડા ભગત ફળિયા ખાતે રહેતા અને વાપી એલઆઈસી ઓફિસમાં કામ કરતા ભીખુભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 34 વાપી એલઆઇસી ઓફિસથી નોકરીથી મોડી રાત્રે પરત સોનવાડા ખાતે આવી રહ્યો હતો.
આ દરમિયાન હાઈવે નંબર 848 પર નાનાપોંઢાથી ધગડમાડ ચાર રસ્‍તા રોડ પર અર્જુન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પહેલા હાઇવે પર પડેલા જાનલેવા ખાડામાં ભીખુભાઈની મોપેડ ટીવીએસ નેટરોર્ક્‍સ નંબર જીજે 15 ડીએલ 8138 પડી સ્‍લીપ થતા ભીખુભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત નીપજ્‍યુંહતું.
અકસ્‍માતને લઈ ભીખુભાઈની બંને છોકરીઓ ધૃતિ ઉંમર વર્ષ 7 અને ધીયા ઉંમર વર્ષ 2 નામની બંને માસુમ બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
અકસ્‍માત અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસે નાનાપોંઢા સીએચસી ખાતે લાશને પીએમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
અહીં ઉલ્લેખ છે કે હાઈવે નંબર 848 પર પારડીથી નાનાપોંઢા સુધી જ ગણીએ તો કેટલાય જાનલેવા ખાડા પડેલા જોવા મળે છે. આ ખાડા એટલા લાંબા અને ઊંડા છે કે મોટરસાયકલ તો શું પરંતુ ફોર વ્‍હીકલ ગાડી પણ જો આ ખાડામાં પડે તો જાન લેવા સાબિત થઈ શકે છે અને હાઇવે ઓથોરિટી, પી.ડબલ્‍યુ.ડી. અને સ્‍થાનિક તંત્ર માનવતા ભૂલી પોતાની જવાબદારીમાંથી છટકી એકમેક પર ખો આપી રહી છે અને જેનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે.
તંત્ર પોતાની જવાબદારી સમજી માનવ ધર્મ નિભાવી આ ખાડાઓ જલ્‍દીથી ભરે એવી માંગ લોકો કરી રહ્યા છે નહીં તો હજુ કેટલીય માતાઓ પોતાનો વ્‍હાલસોયા ગુમાવે કે કેટલીય જીવનસંગીની વિધવા બને તો નવાઈ નહી ?

Related posts

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

vartmanpravah

નમો મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મિતેશ કન્‍હૈયા ઝાએ સંઘપ્રદેશનું નામ રોશન કર્યુ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

વલસાડમાં હાઈપ્રોફાઈલ બર્થ-ડે પાર્ટી મહેફીલમાં પોલીસે ભંગાણ પાડયું: ભાજપના નેતાઓ સહિત 15 ઝડપાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

Leave a Comment