Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

હાઈવે ઓથોરિટી, પીડબ્‍લ્‍યુડી તથા સ્‍થાનિક તંત્ર એકબીજાને આપી રહી છે ખો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી તાલુકાના સોનવાડા ભગત ફળિયા ખાતે રહેતા અને વાપી એલઆઈસી ઓફિસમાં કામ કરતા ભીખુભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 34 વાપી એલઆઇસી ઓફિસથી નોકરીથી મોડી રાત્રે પરત સોનવાડા ખાતે આવી રહ્યો હતો.
આ દરમિયાન હાઈવે નંબર 848 પર નાનાપોંઢાથી ધગડમાડ ચાર રસ્‍તા રોડ પર અર્જુન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પહેલા હાઇવે પર પડેલા જાનલેવા ખાડામાં ભીખુભાઈની મોપેડ ટીવીએસ નેટરોર્ક્‍સ નંબર જીજે 15 ડીએલ 8138 પડી સ્‍લીપ થતા ભીખુભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત નીપજ્‍યુંહતું.
અકસ્‍માતને લઈ ભીખુભાઈની બંને છોકરીઓ ધૃતિ ઉંમર વર્ષ 7 અને ધીયા ઉંમર વર્ષ 2 નામની બંને માસુમ બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
અકસ્‍માત અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસે નાનાપોંઢા સીએચસી ખાતે લાશને પીએમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
અહીં ઉલ્લેખ છે કે હાઈવે નંબર 848 પર પારડીથી નાનાપોંઢા સુધી જ ગણીએ તો કેટલાય જાનલેવા ખાડા પડેલા જોવા મળે છે. આ ખાડા એટલા લાંબા અને ઊંડા છે કે મોટરસાયકલ તો શું પરંતુ ફોર વ્‍હીકલ ગાડી પણ જો આ ખાડામાં પડે તો જાન લેવા સાબિત થઈ શકે છે અને હાઇવે ઓથોરિટી, પી.ડબલ્‍યુ.ડી. અને સ્‍થાનિક તંત્ર માનવતા ભૂલી પોતાની જવાબદારીમાંથી છટકી એકમેક પર ખો આપી રહી છે અને જેનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે.
તંત્ર પોતાની જવાબદારી સમજી માનવ ધર્મ નિભાવી આ ખાડાઓ જલ્‍દીથી ભરે એવી માંગ લોકો કરી રહ્યા છે નહીં તો હજુ કેટલીય માતાઓ પોતાનો વ્‍હાલસોયા ગુમાવે કે કેટલીય જીવનસંગીની વિધવા બને તો નવાઈ નહી ?

Related posts

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

દાનહઃ નરોલીમાં જિલ્લા સ્‍તરીય રોપ ક્‍સિપિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

‘ઈ-મેઘ સિસ્ટમ’ વલસાડ શહેર માટે આશીર્વાદરૂપ

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉદવાડા અનાવિલ વાડી ખાતે કાર્યકર્તાઓનો સંવાદ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment