August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધગડમાળના ખાડાએ સોનવાડાના યુવાનનો લીધો ભોગ: પિતાની છત્રછાયા ગુમાવતી બે માસુમ બાળકીઓ

હાઈવે ઓથોરિટી, પીડબ્‍લ્‍યુડી તથા સ્‍થાનિક તંત્ર એકબીજાને આપી રહી છે ખો…

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી તાલુકાના સોનવાડા ભગત ફળિયા ખાતે રહેતા અને વાપી એલઆઈસી ઓફિસમાં કામ કરતા ભીખુભાઈ નારણભાઈ ધોડિયા પટેલ ઉંમર વર્ષ 34 વાપી એલઆઇસી ઓફિસથી નોકરીથી મોડી રાત્રે પરત સોનવાડા ખાતે આવી રહ્યો હતો.
આ દરમિયાન હાઈવે નંબર 848 પર નાનાપોંઢાથી ધગડમાડ ચાર રસ્‍તા રોડ પર અર્જુન કેમિકલ પ્રાઈવેટ લિમિટેડ કંપની પહેલા હાઇવે પર પડેલા જાનલેવા ખાડામાં ભીખુભાઈની મોપેડ ટીવીએસ નેટરોર્ક્‍સ નંબર જીજે 15 ડીએલ 8138 પડી સ્‍લીપ થતા ભીખુભાઈને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમનું સ્‍થળ પર જ કરુણ મોત નીપજ્‍યુંહતું.
અકસ્‍માતને લઈ ભીખુભાઈની બંને છોકરીઓ ધૃતિ ઉંમર વર્ષ 7 અને ધીયા ઉંમર વર્ષ 2 નામની બંને માસુમ બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
અકસ્‍માત અંગેની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસે નાનાપોંઢા સીએચસી ખાતે લાશને પીએમ માટે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
અહીં ઉલ્લેખ છે કે હાઈવે નંબર 848 પર પારડીથી નાનાપોંઢા સુધી જ ગણીએ તો કેટલાય જાનલેવા ખાડા પડેલા જોવા મળે છે. આ ખાડા એટલા લાંબા અને ઊંડા છે કે મોટરસાયકલ તો શું પરંતુ ફોર વ્‍હીકલ ગાડી પણ જો આ ખાડામાં પડે તો જાન લેવા સાબિત થઈ શકે છે અને હાઇવે ઓથોરિટી, પી.ડબલ્‍યુ.ડી. અને સ્‍થાનિક તંત્ર માનવતા ભૂલી પોતાની જવાબદારીમાંથી છટકી એકમેક પર ખો આપી રહી છે અને જેનો ભોગ નિર્દોષ પ્રજા બની રહી છે.
તંત્ર પોતાની જવાબદારી સમજી માનવ ધર્મ નિભાવી આ ખાડાઓ જલ્‍દીથી ભરે એવી માંગ લોકો કરી રહ્યા છે નહીં તો હજુ કેટલીય માતાઓ પોતાનો વ્‍હાલસોયા ગુમાવે કે કેટલીય જીવનસંગીની વિધવા બને તો નવાઈ નહી ?

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

રાજ્‍યકક્ષાની વિવિધ સ્‍પર્ધાઓમાં વલસાડ જિલ્લાના કલાકારો ઝળક્‍યા

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ગ્રેટર દ્વારા ગુરૂજનોનું સન્‍માન કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

Leave a Comment