(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.07: હિન્દુઓના તહેવારોમાં બજારમાં વેચાતી તહેવારલક્ષી ચીજ વસ્તુઓના પેકિંગ કે બનાવટમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ આપી તેમના ફોટાઓનો ઉપયોગ કરી આવી ચીજ વસ્તુઓનું વેચાણ કરી હિંદુ ધર્મનું અપમાન તથા હિન્દુઓની લાગણીઓ સાથે ખીલવાડ કરી આવી ચીજ વસ્તુઓ બનાવતા ફેક્ટરી માલિકો એમની આસ્થા અને ભાવનાઓનું અપમાન કરી રહ્યા છે.
આવા દેવી દેવિકાઓના ફોટાવાળા સામાન બજારમાં ન વેચાય અને જો કોઈ વેચતું હોય તો તેને હટાવી દેવામાં આવે. ખાસ કરીને હાલમાં વિવિધ ફટાકડા ઉપર દેવી-દેવતાઓના નામ આપી તેમના ફોટાઓ વાળાફટાકડા બનાવી બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે તો આવા ફટાકડા તથા દેવી-દેવતા ના ફોટાવાળી ચીજ વસ્તુઓ બજારમાંથી હટાવવામાં આવે. જેને લઇ આજ રોજ પારડી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા પારડીના મામલતદાર આર.આર.ચૌધરી તથા પારડી નગરપાલિકા ચીફ ઓફિસર બી.બી. ભાવસારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય કાયદાની કલમ 1860 ની કલમ 295 – એ મુજબ આવી ચીજ વસ્તુઓ રાખવી કે વેચવી ગુનો બનતો હોય જે કોઈ દુકાનદારો કે વેપારીઓ આવી ચીજ વસ્તુઓ વેચતા પકડાશે તો ગુનો નોંધી સજા કરવામાં આવશે.