December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.06: ચીખલી તાલુકાના કેટલાકગામોમાં ‘નલ સે જલ યોજના’માં ભારે ગોબાચારી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. ‘નલ સે જલ’ યોજનામાં માત્ર રૂપિયાનો બગાડ કરી તંત્ર તેમજ કોન્‍ટ્રાક્‍ટરોની તિરજોરી ભરવાનું માધ્‍યમ બની હોવાનું લોકમુખે ભારે ચર્ચાસ્‍પદ બન્‍યું છે. ત્‍યારે તેનો જીવતો જાગતો દાખલો ચીખલી તાલુકાના કેટલાક ગામોનાં ફળિયામાં મુકવામાં આવેલ ‘નલ સે જલ’ યોજના અંતર્ગતના પાણી ઝંખતા નળોમાં જોવા મળી રહ્યો છે.
ભારત સરકારના જળ શક્‍તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રીના નેતૃત્‍વમાં ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પૂર્વ મુખ્‍યમંત્રીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્‍યમાં ‘જ્‍યાં ઘર હશે ત્‍યાં નળ હશે’ તેવા સંકલ્‍પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્‍ધ પાણી પહોંચે તે માટે ‘નલ સે જલ યોજના’ અંતર્ગત તાલુકાના દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્‍યું છે. ત્‍યારે ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને મહિનાઓનો સમય વીત્‍યા બાદ પણ કેટલાક ગામો કે ગામોનાં ફળિયાના ગ્રામજનોને એક ટીપું પાણી પણ નસીબ થાય તે પહેલાં જ પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ પડીરહ્યું હોવાનું ફલિત થતું દેખાઈ રહ્યું છે.
આ સરકારી યોજનાનાં તમામ કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. પાણીની આ તમામ પાઈપ લાઈન જમીનની નીચે દાટવાની હોય છે પણ ઉપર જ દાટી વેઠ ઉતારવામાં આવી છે. આ લાઈન પર વાહનો જતા તૂટી રહી છે. કેટલાય ગામોમાં નળમાં તો હજુ સુધી પાણી જ આવ્‍યું નથી તે પહેલાં નળો તૂટી જવા પામ્‍યા છે. આ બાબતે સ્‍થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈને તાત્‍કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને વહેલી તકે પાણી ગ્રામજનો ને મળે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. આ યોજનામાં કોન્‍ટ્રાક્‍ટર દ્વારા અમુક વર્ષો સુધી મેઈન્‍ટેન્‍સ કરવાનું હોય છે ત્‍યારે વહેલી તકે લાઈન રિપેર કરી લોકોને પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment