December 22, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: ઉમરગામ તાલુકામાં છેલ્લા બે મહિનાથી પશુઓમાં ખાસ કરીને ગાય અને બળદમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વાયરસની ગંભીરતા દાખવી આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ તેમજ ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે સરીગામ જીઆઈડીસી સ્‍થિત દામોદર કંપનીની બાજુના પ્‍લોટમાં પશુઓને એકત્રિત કરી જ્‍યાં ઢોરોને વાયરસની સારવારકરવામાં આવી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. આ સ્‍થળે મુલાકાત દરમિયાન ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનિશ પાંડવ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે પશુઓની સારવાર કરી રહેલા ડોક્‍ટર અને અગ્નિવિર ગૌસેવા સંગઠનના કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને સલાહ સૂચનો કર્યા હતા. અને જરૂરિયાત મુજબ મદદ કરવાનું પણ જણાવ્‍યું હતું. છેલ્લા બે મહિનાથી પશુઓમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી સમગ્ર તાલુકામાં આ પ્રકારના વાયરસથી પીડાતા પશુઓને સારવાર આપવામાં અગ્નિવિર ગૌરક્ષક સંગઠનના સંચાલકો કમલેશભાઈ પંડિત અને ઉમેશભાઈ રાજપુરોહિત અને એમની ટીમ સેવા આપી રહ્યા છે.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ?

vartmanpravah

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

Leave a Comment