February 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: ઉમરગામ તાલુકામાં છેલ્લા બે મહિનાથી પશુઓમાં ખાસ કરીને ગાય અને બળદમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વાયરસની ગંભીરતા દાખવી આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ તેમજ ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે સરીગામ જીઆઈડીસી સ્‍થિત દામોદર કંપનીની બાજુના પ્‍લોટમાં પશુઓને એકત્રિત કરી જ્‍યાં ઢોરોને વાયરસની સારવારકરવામાં આવી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. આ સ્‍થળે મુલાકાત દરમિયાન ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનિશ પાંડવ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે પશુઓની સારવાર કરી રહેલા ડોક્‍ટર અને અગ્નિવિર ગૌસેવા સંગઠનના કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને સલાહ સૂચનો કર્યા હતા. અને જરૂરિયાત મુજબ મદદ કરવાનું પણ જણાવ્‍યું હતું. છેલ્લા બે મહિનાથી પશુઓમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી સમગ્ર તાલુકામાં આ પ્રકારના વાયરસથી પીડાતા પશુઓને સારવાર આપવામાં અગ્નિવિર ગૌરક્ષક સંગઠનના સંચાલકો કમલેશભાઈ પંડિત અને ઉમેશભાઈ રાજપુરોહિત અને એમની ટીમ સેવા આપી રહ્યા છે.

Related posts

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ દ્વારા આયોજિત રંગોળી સ્‍પર્ધામાં એલ.જી.હરિયા સ્‍કૂલનો વિદ્યાર્થી ઝળક્‍યો

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કચીગામ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે તરુણાવસ્‍થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

Leave a Comment