September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: ઉમરગામ તાલુકામાં છેલ્લા બે મહિનાથી પશુઓમાં ખાસ કરીને ગાય અને બળદમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વાયરસની ગંભીરતા દાખવી આજરોજ ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ તેમજ ઉમરગામ તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ દિલીપભાઈ ભંડારી અને એમની ટીમે સરીગામ જીઆઈડીસી સ્‍થિત દામોદર કંપનીની બાજુના પ્‍લોટમાં પશુઓને એકત્રિત કરી જ્‍યાં ઢોરોને વાયરસની સારવારકરવામાં આવી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. આ સ્‍થળે મુલાકાત દરમિયાન ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનિશ પાંડવ અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે પશુઓની સારવાર કરી રહેલા ડોક્‍ટર અને અગ્નિવિર ગૌસેવા સંગઠનના કાર્યકર્તાઓની પ્રશંસા કરી અને સલાહ સૂચનો કર્યા હતા. અને જરૂરિયાત મુજબ મદદ કરવાનું પણ જણાવ્‍યું હતું. છેલ્લા બે મહિનાથી પશુઓમાં લંપી વાયરસ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી સમગ્ર તાલુકામાં આ પ્રકારના વાયરસથી પીડાતા પશુઓને સારવાર આપવામાં અગ્નિવિર ગૌરક્ષક સંગઠનના સંચાલકો કમલેશભાઈ પંડિત અને ઉમેશભાઈ રાજપુરોહિત અને એમની ટીમ સેવા આપી રહ્યા છે.

Related posts

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

વલસાડ જિલ્લો કોરોનાના ભરડા તરફ ધકેલાઈ રહ્યો છે : બુધવારે જિલ્લામાં 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

કરવડ હાઈસ્‍કૂલમાં સ્‍વ.કૌશિક હરિયાનો શ્રદ્ધાજંલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment