(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.16
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, કચીગામ ખાતે તા. 16/03/2022ના રોજ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાની વિદ્યાર્થીનીઓ માટેતરુણાવસ્થા વિષય ઉપર શૈક્ષણિક જાગરૂકતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. હતો. જેમાં મનોચિકિત્સક ડો.લાવણ્યા પટેલ હાજર રહી શાળાની વિદ્યાર્થીનીઓને તરુણાવસ્થા વિષય પર મનોવૈજ્ઞાનિક જાણકારી આપવામાં આવી અને શાળાની તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન પણ આપવામાં આવ્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી અશ્વિન આર. પટેલ, ઇન્ચાર્જ શ્રી કિશોર કે. રાઉત તથા શાળાના તમામ શિક્ષકમિત્રોનો વિશેષ ફાળો રહ્યો હતો.