Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.06: સરીગામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને એમની ટીમે ચોમાસુ પૂર્ણ થવાના સમય સાથે વિકાસના કામોનો પ્રારંભ કરી દીધો છે. આજરોજ સરીગામના અંતરિયાળ વિસ્‍તાર એવા બોન્‍ડપાડા, રામા ફળિયા, બ્રાહ્મણ ફળિયા, પાગીપાડા તેમજ ડુંગળી ફળિયામાં રૂપિયા 12.50 લાખના ખર્ચે નિર્માણ થનારા બ્‍લોક રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરી વિકાસના કામો ચાલુ કર્યા છે.
આ પ્રસંગે સરપંચ શ્રી સહદેવભાઈ વઘાતે જણાવ્‍યું હતું કે, પંચાયત દરેક મોહલ્લા અને વિસ્‍તાર સુધી વિકાસ પહોંચાડવા માટે પૂરેપૂરું ધ્‍યાન આપી રહી છે અને કામ કરવા માટે કટિબંધ પણ છે. આ પ્રસંગે સરીગામ અગ્રણી શ્રી રાકેશભાઈ રાય લોક કલ્‍યાણકારી યોજનાનો લાભ લેવા દરેક ગ્રામજનોને આગળ આવવા અપીલ કરી હતી અને વિકાસના કામમાં સહયોગ આપવા જણાવ્‍યું હતું. તેમજ સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા ચાલુ કરેલા અભિયાનમાં દરેક નાગરિક સહયોગ આપે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. આજના ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયતના સભ્‍ય શ્રીમતી ઉર્મિલાબેન દુમાડા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ બાડગા, પૂર્વ સરપંચ શ્રી શૈલેષભાઈ કૌમ્‍ભિયા, પંચાયતના સભ્‍યશ્રીઓ શ્રી હિતુભાઈ દુમાડા, શ્રીરાજેશભાઈ વડવી, શ્રી જીતેન્‍દ્રભાઈ ભંડારી, શ્રીમતી શોભાબેન કોળી, તેમજ પૂર્વ સભ્‍યશ્રીઓ ઉત્તમભાઈ દુમાડા, શ્રી અરવિંદભાઈ બોબા, શ્રી જયસુખભાઈ બોબા, શ્રીમતી ગીતાબેન બોબા, શ્રીમતી રશ્‍મિબેન પાગી, શ્રી નીરજભાઈ રાય, શ્રી અજયભાઈ મૌર્ય, ડોક્‍ટર નિરવ શાહ તેમજ ગામના અગ્રણીઓમાં શ્રી દેવરાજભાઈ ભટ્ટ, યાદેન્‍દ્ર મિશ્રા, શ્રી હરેશભાઈ લોથડા, શ્રી નરેશભાઈ ફરારા, શ્રી અંકિતભાઈ લોથડા, શ્રી અમિતભાઈ પાગી, શ્રી મનોજભાઈ કડુ, શ્રી અશ્વિનભાઈ, શ્રી વિષ્‍ણુભાઈ, શ્રી વિપુલભાઈ, શ્રી સંજય જયેશભાઈ ગંજાળીયા, શ્રી પ્રવીણભાઈ, શ્રી નિલેશભાઈ કોળી સહિત મોટી સંખ્‍યામાં લોકોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘‘સાપની ઓળખ અને ડંખ મારે ત્‍યારે શું કાળજી” વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

Leave a Comment