March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મેન્‍ટલ ફ્રી સોસાયટી બનાવવી હોય તો રિયાલિસ્‍ટિક રહેવું જરૂરીઃ દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રીધર એમ. ભોસલે

દમણ કોર્ટમાં ‘માનસિક આરોગ્‍ય દિવસ’ના ઉપલક્ષમાં યોજાયેલ જાગૃતિ શિબિરઃ મનો ચિકિત્‍સક ડો. સ્‍નેહા વાઢેરે આપેલી મનનીય સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશ શ્રી શ્રીધર એમ. ભોસલેએ મોટી દમણ કોર્ટ પરિસરમાં આયોજીત ઉપસ્‍થિત લોકોને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે, માનસિક આરોગ્‍યએવો વિષય છે જે આપણાં જીવનમાં ખુબ જ મહત્ત્વ રાખે છે. છતાં પણ આપણે એના પ્રત્‍યે દુર્લક્ષ સેવીએ છીએ, જે ઘાતક બને છે.
આજે દમણ કોર્ટમાં માનસિક આરોગ્‍યના પ્રત્‍યે જાગૃત કરવા અને સંવેદનશીલ બનાવવાના ઉદ્દેશથી દર વર્ષે યોજાતા વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસના ઉપલક્ષમાં સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દમણના સભ્‍ય સચિવ અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડિવિઝન શ્રી પવન એસ. બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રીમતી એસ.એન. સવાલેશ્વરકર સહિત બાર એસોસિએશનના સભ્‍યો, વકિલો અને અરજકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે મનોચિકિત્‍સક ડૉ. સ્‍નેહા વાઢેરે વર્તમાન જીવનશૈલીમાં વિવિધ પ્રકારના દબાણ, ચિંતા, તણાવના કારણે લોકો ડિપ્રેશન અને અન્‍ય માનસિક બિમારીના શિકાર થતા હોવાનું વિસ્‍તારપૂર્વક જણાવ્‍યું હતું. તેમણે મેન્‍ટલ સ્‍ટ્રેસ, ડિપ્રેશન, એન્‍ઝાઈટીથી લઈ હિસ્‍ટેરિયા, ડિમેન્‍શિયા, ફોબિયા જેવી અનેક માનસિક બિમારી દુનિયામાં ઝડપથી વધી રહી હોવાથી તેનાથી સાવધાન રહેવા સમજાવ્‍યું હતું. ડૉ. સ્‍નેહા વાઢેરે તણાવથી મુક્‍ત રહેવાના કિમિયા પણ સમજાવ્‍યા હતા. તેમણે નકારાત્‍મક વિચારોને ત્‍યજી જીવન પ્રત્‍યેહકારાત્‍મક દૃષ્‍ટિકોણ કેળવવા પણ સમજ આપી હતી. તેમણે દમણની મરવડ જિલ્લા હોસ્‍પિટલ, કચીગામ આરોગ્‍ય કેન્‍દ્ર અને મોટી દમણ હેલ્‍થ કોમ્‍યુનિટી સેન્‍ટર ખાતે સરકારી મનોચિકિત્‍સકની સેવા ઉપલબ્‍ધ હોવાની જાણકારી આપવા સાથે મનોચિકિત્‍સકને કન્‍સલ્‍ટ કરવા પણ સલાહ આપી હતી.
પ્રારંભમાં એડવોકેટ શ્રીમતી સપના પૂજારીએ મેન્‍ટલ હેલ્‍થ સ્‍ટ્રેસના કારણોનું વર્ગીકરણ પોતાના વક્‍તવ્‍યમાં કર્યું હતું. જ્‍યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સમાપન એડવોકેટ શ્રીમતી સ્‍મિતા ગોહિલે ઉત્‍કૃષ્‍ટ રીતે પાર પાડયું હતું.

Related posts

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

અશ્વમેઘ વિધાલય સોઢલવાડામાં વિજ્ઞાનપ્રવાહમાં પલક વિપુલભાઈ પટેલ B1ગ્રેડ PR 79.09 મેળવી મેળવીને ડહેલી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીનું રી-ટ્‍વીટઃ સરાહનીય પ્રયાસ, શ્રેષ્‍ઠ પરિણામ..! પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં લક્ષદ્વીપ ખાતે ચાલી રહેલ વિકાસલક્ષી પ્રોજેક્‍ટ ‘ન્‍યુટ્રી ગાર્ડન’ની કરેલી સરાહના

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંથી ચોરી કરેલ બે બાઈકો સાથે આરોપી ઝડપાયો

vartmanpravah

દેવકાની સેન્‍ડી રિસોર્ટમાં દમણ લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલ ડિસ્‍ટ્રીક્‍ટ 3232જ્‍2ના રિજિયન-5 દ્વારા યુનિટિ રિજિયન કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વલસાડ ડેપોમાં બસોની કાયમી અનિયમિતતાને લઈ મુસાફરોએ બસ અવર જવર રોકી ડેપો માથે લીધું

vartmanpravah

Leave a Comment