July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્‍યાર સુધી
263 મકાન બનાવી આપ્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વલસાડ વાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ અત્‍યાર સુધીમાં ગરીબો-બેહાલો માટે 263 મકાન બનાવી ચૂક્‍યાછે.
નિતિન જાની ઉર્ફે ખજુરભાઈને સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે વલસાડ હનુમાન ભાગડાવાડા વિસ્‍તારમાં ઔરંગા નદીના કિનારે રહેતા ગુલીબેન રાઠોડ અને તેમની દિવ્‍યાંગ દિકરી છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં રહે છે. ચોમાસામાં ઔરંગા નદીના પુરમાં રાઠોડ પરિવાર ભારે યાતના વેઠતો હોય છે તેવી જાણ ખજુરભાઈને થતા તેઓ વલસાડ દોડી આવીને ગુલીબેન અને તેમની દિવ્‍યાંગ દિકરીને મળ્‍યા હતા. તેમના માટે તાત્‍કાલિક દિન સાતમાં પાકું મકાન બનાવી આપવાની જવાબદારી ઉપાડી લીધી. તેમની ટીમ દ્વારા સ્‍થળ ઉપર શ્રમદાન કરી પાકુ મકાન બનાવી આપવાની કામગીરી આરંભી પણ દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ઉનાળામાં કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં કેટલાક ગામોમાં ગરીબોની પાણીની સમસ્‍યા નિવારવા પ્‍લાસ્‍ટીકની ટાંકીઓ ટ્રકમાં ભરી પહોંચી ગયા હતા અને પાણીની સમસ્‍યાનું નિવારણ કર્યું હતું. ખજુરભાઈની સમાજ સેવાની યાદી ઘણી વિસ્‍તૃત છે, તે હંમેશા ગરીબોના બેલી રહ્યા છે.

Related posts

વલસાડની 9 મહિલા સાહિત્‍યકારને નગર રત્‍નથી સન્‍માનિત કરી વિશ્વ મહિલા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

દીવની સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ સભ્‍યો સહિત બહુમતિ ગામવાસીઓએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

પ્રદેશમાં નવા રોકાણકારોને આકર્ષવા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા પ્રદેશના 70થી વધુ ઉદ્યોગોને સબસીડી સહાય પુરી પાડવા લીધેલો મહત્‍વનો નિર્ણય

vartmanpravah

Leave a Comment