Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્‍યાર સુધી
263 મકાન બનાવી આપ્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વલસાડ વાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ અત્‍યાર સુધીમાં ગરીબો-બેહાલો માટે 263 મકાન બનાવી ચૂક્‍યાછે.
નિતિન જાની ઉર્ફે ખજુરભાઈને સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે વલસાડ હનુમાન ભાગડાવાડા વિસ્‍તારમાં ઔરંગા નદીના કિનારે રહેતા ગુલીબેન રાઠોડ અને તેમની દિવ્‍યાંગ દિકરી છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં રહે છે. ચોમાસામાં ઔરંગા નદીના પુરમાં રાઠોડ પરિવાર ભારે યાતના વેઠતો હોય છે તેવી જાણ ખજુરભાઈને થતા તેઓ વલસાડ દોડી આવીને ગુલીબેન અને તેમની દિવ્‍યાંગ દિકરીને મળ્‍યા હતા. તેમના માટે તાત્‍કાલિક દિન સાતમાં પાકું મકાન બનાવી આપવાની જવાબદારી ઉપાડી લીધી. તેમની ટીમ દ્વારા સ્‍થળ ઉપર શ્રમદાન કરી પાકુ મકાન બનાવી આપવાની કામગીરી આરંભી પણ દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ઉનાળામાં કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં કેટલાક ગામોમાં ગરીબોની પાણીની સમસ્‍યા નિવારવા પ્‍લાસ્‍ટીકની ટાંકીઓ ટ્રકમાં ભરી પહોંચી ગયા હતા અને પાણીની સમસ્‍યાનું નિવારણ કર્યું હતું. ખજુરભાઈની સમાજ સેવાની યાદી ઘણી વિસ્‍તૃત છે, તે હંમેશા ગરીબોના બેલી રહ્યા છે.

Related posts

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહમાં લેબર કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા થતું કામદારોનું શોષણ : પ્રદેશ ભાજપ મહામંત્રી મનિષ દેસાઈએ શ્રમ અધિકારીને પાઠવેલું આવેદન પત્ર

vartmanpravah

Leave a Comment