October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરીબોના મસિહા નિતિન જાની ઉર્ફે ખજુરભાઈ વલસાડમાં દિવ્‍યાંગ દિકરી-માને પાકુ મકાન બનાવી આપશે

ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ ગરીબોને અત્‍યાર સુધી
263 મકાન બનાવી આપ્‍યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: જાણીતા યુટયુબ કલાકાર નિતિન જાની ઉર્ફે ખજુરભાઈએ વલસાડ વાસીઓના દિલ જીતી લીધા છે. ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજુરભાઈએ અત્‍યાર સુધીમાં ગરીબો-બેહાલો માટે 263 મકાન બનાવી ચૂક્‍યાછે.
નિતિન જાની ઉર્ફે ખજુરભાઈને સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે વલસાડ હનુમાન ભાગડાવાડા વિસ્‍તારમાં ઔરંગા નદીના કિનારે રહેતા ગુલીબેન રાઠોડ અને તેમની દિવ્‍યાંગ દિકરી છેલ્લા 15 વર્ષથી કાચા મકાનમાં રહે છે. ચોમાસામાં ઔરંગા નદીના પુરમાં રાઠોડ પરિવાર ભારે યાતના વેઠતો હોય છે તેવી જાણ ખજુરભાઈને થતા તેઓ વલસાડ દોડી આવીને ગુલીબેન અને તેમની દિવ્‍યાંગ દિકરીને મળ્‍યા હતા. તેમના માટે તાત્‍કાલિક દિન સાતમાં પાકું મકાન બનાવી આપવાની જવાબદારી ઉપાડી લીધી. તેમની ટીમ દ્વારા સ્‍થળ ઉપર શ્રમદાન કરી પાકુ મકાન બનાવી આપવાની કામગીરી આરંભી પણ દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ગત ઉનાળામાં કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં કેટલાક ગામોમાં ગરીબોની પાણીની સમસ્‍યા નિવારવા પ્‍લાસ્‍ટીકની ટાંકીઓ ટ્રકમાં ભરી પહોંચી ગયા હતા અને પાણીની સમસ્‍યાનું નિવારણ કર્યું હતું. ખજુરભાઈની સમાજ સેવાની યાદી ઘણી વિસ્‍તૃત છે, તે હંમેશા ગરીબોના બેલી રહ્યા છે.

Related posts

‘સદસ્‍યતા અભિયાન’ અંતર્ગત દિલ્‍હી કેન્‍દ્રિય ભાજપ કાર્યાલયમાં યોજાયેલ કાર્યશાળામાં દમણથી વસિમ સૈયદ અને દાનહના મુસ્‍તાકભાઈ તવાએ આપેલી હાજરી

vartmanpravah

ચીખલી વન વિભાગે ચીમલા ગામે છાપો મારી ખેરના લાકડાનો જથ્‍થો ઝડપ્‍યો

vartmanpravah

કેન્દ્રએ ‘ભ્રામક જાહેરાતો અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સમર્થન, 2022ના નિવારણ અંગે માર્ગદર્શિકા’ જારી કરી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્‍થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે

vartmanpravah

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

સેલવાસના નક્ષત્ર વન ઉલ્‍ટન ફળિયાની મુખ્‍ય ગટર નજીક બિલ્‍ડરે કરેલું દબાણઃ ચોમાસામાં લોકોને મુશ્‍કેલી ઉભી કરશે

vartmanpravah

Leave a Comment