Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલું આયોજન : દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે લગ્ન સમારંભમાં ઉપસ્‍થિત રહેલી નવદંપતિઓને આપેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: દીવ જિલ્લાના વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના વણાંકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંયુક્‍ત કોળી સમાજ દ્વારા 23મા સમુહ લગ્નોત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.આ સમૂહ લગ્ન સમારંભનું આયોજન તા.11 અને 13 જૂન 2023ના રોજ કરવામાં આવ્‍યું છે. આજના સમૂહલગ્નમાં કુલ 30 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. સમુહ લગ્ન દરમિયાન દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપરાંત ગીર- સોમનાથના ધારાસભ્‍ય શ્રી વિમલ ચૂડાસમા, દીવ જિલ્લા કલેકટર શ્રી ફવર્મન બ્રહ્મા, એસ.પી. શ્રી મણીભૂષણ સિંઘ, ડેપ્‍યુટી કલેકટર શ્રી શિવમ મિશ્રા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન, બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિપક દેવજી, યુથ એક્‍શન ફોર્સના પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપિન શાહ, વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સમાજના હોદ્દેદારો, આગેવાનો અને કાઉન્‍સિલરો વગેરે ઉપસ્‍થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્‍યા હતા.
અત્રે યાદ રહે કે, સમૂહલગ્નનું આયોજન દર વર્ષે માછીમારી પ્રવૃત્તિ બંધ થાય ત્‍યારે વણાંકબારા સંયુક્‍ત કોળી સમાજ દ્વારા કરવામાં આવે છે.

Related posts

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

વાપી નજીક કરવડમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશમાં રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન હેઠળ આયોજીત કેવડિયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળામાં સામેલ થવા દમણના જનપ્રતિનિધિઓ રવાના

vartmanpravah

ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે 18 કરોડના ખર્ચે તૈયાર થનાર વીજ કંપનીની સર્કલ કચેરીનું ખાતમુહૂર્ત

vartmanpravah

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment