April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13: જ્‍યારથી સંઘપ્રદેશના શ્રમ આયુક્‍ત દ્વારા કામદારોના લઘુમત્ત વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી દાદરા નગર હવેલીમાં વિવિધ એક પછી એક કંપનીના કામદારો-કર્મચારીઓ તેમના હક્ક અધિકારની માંગણી સાથે આવેદનપત્રો આપવા તથા હડતાળ ઉપર ઉતરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દાદરા નગર હવેલીના રખોલી ગામે આવેલ કંપનીના કર્મચારીઓ પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. આ કંપનીમાં રિયા એન્‍ટરપ્રાઇઝ, આકાશ એન્‍ટરપ્રાઇઝ સહીત બીજા પણ કોન્‍ટ્રાક્‍ટરો દ્વારા કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમ ચલાવવામાં આવે છે જેમાં હજારોની સંખ્‍યામાં કામદારો કામ કરી તેમની રોજીરોટી રળે છે. આ કામદારોની ફરિયાદ છે કે તેઓને આઠ કલાકના 350થી 360 રૂપિયા જ વેતન મળી રહ્યું છે અને અમે જે પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલ એ પ્રમાણે અમને પણ પગાર મળે એવી અમારી માંગ છે. પગાર વધારા મુદ્દે કંપની સંચાલોકોને પુછતા તેઓએ વાતને ટાળી દીધી હતી.
આ હડતાલ પર ઉતરેલ કામદારોના ટોળા અંગે જાણકારી મળતા સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર, લેબર વિભાગના ઓફિસર શ્રી મિહિર જોશી અને પોલીસની ટીમ કામદારો પાસે પહોંચી હતી અને કામદારોની એમની માંગણી સંદર્ભે રજૂઆત સાંભળ્‍યા બાદ યોગ્‍ય ન્‍યાય અપાવવાની પ્રશાસન વતી બાહેંધરી આપી હતી.

Related posts

દમણમાં બહેનોને આત્‍મનિર્ભર બનાવવા એનઆરએલએમના સક્રિય પ્રયાસો : કડૈયામાં પાપડની તાલીમનો આરંભ

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

Leave a Comment