March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશના આઈ.ટી., દૂરસંચાર અને ગુજરાત- એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં યોજાયું 5G સંમેલન

5Gના માધ્‍યમથી ઉદ્યોગોને નવા રૂપ આપવા, સમાજ ઉપર પ્રભાવ નાંખવા તથા અમને વધુ કનેક્‍ટેડ અને કાર્યક્ષમ વિશ્વ તરફ લઈ જવાના વહીવટીતંત્રના પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં આજે ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દ્વારા દૂરસંચાર વિભાગ, ગુજરાત એલ.એસ.એ. ભારત સરકારના સહયોગથી સરકારી એન્‍જિનિયરિંગ કોલેજ, દમણના ઓડિટોરિયમમાં 5G સંમેલન યોજાયું હતું. જેમાં દૂરસંચાર સેવા પ્રદાતા (ટીએસપી), ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોવાઈડર્સ એસોસિએશન(ડીઆઈપીએ), સેલ્‍યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્‍ડિયા(સીઓએઆઈ), ઉદ્યોગપતિઓ, કોલેજના વિદ્યાર્થીઓ, કેન્‍દ્ર શાસિત પ્રદેશના સ્‍ટાર્ટઅપ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ, ભારત સરકારના અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ સંમેલનમાં દૂરસંચાર વિભાગના અધિક મહાનિર્દેશક (સામાન્‍ય) શ્રી અજાતશત્રુ સોમાની, ડીઓટી નિર્દેશક શ્રી ગણેશ બકાડે, બીઆઈએસએજીએનના શ્રી દીપક કોબિયા, રિલાયન્‍સ-જીયોના શ્રી મુકેશ તિલાલા, મેડમોરા સ્‍ટાર્ટઅપ શ્રી અમૃત સિંહ, સીઓએઆઈ શ્રી ધનંજય, ડીઆઈપીએ શ્રી હરમંત સિંહ, આઈ.ટી. નિર્દેશક શ્રી કૃષ્‍ણ ચૈતન્‍યા તથા ડીટીઓટીના નિર્દેશક શ્રી મદનલાલે 5Gના ઉપયોગની બાબતો અને 5G સમાધાન, 5G રોલઆઉટ યોજના, સ્‍ટ્રીટ ફર્નિચર માટે આરઓડબ્‍લ્‍યુ નીતિ, ઓનલાઈન સરળ સંચાર પોર્ટલ પર 5G ફોર્મ, પીએમ ગતિશક્‍તિ એનએમપી પ્‍લેટફોર્મ અને કોલ બીફોર યૂ ડિગ મોબાઈલ એપ વગેરે જેવા મહત્ત્વના વિષયોની રજૂઆત કરવામાં આવી હતી.
5Gના માધ્‍યમથી ઉદ્યોગોને નવા રૂપ આપવા, સમાજ ઉપર પ્રભાવ નાંખવા અને વહીવટીતંત્ર અમને વધુ કનેક્‍ટેડ અને કાર્યક્ષમ વિશ્વ તરફ લઈ જવાના પ્રયાસો કરી રહ્યું છે. આ ઐતિહાસિક કાર્યક્રમ 5G ટેક્‍નિકની ક્ષમતાને પ્રદર્શિત કરતા કનેક્‍ટિવિટી અને નવાચારના નવા યુગનું નિર્માણ કરવાનો વાયદો આપતા હોવાનું દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજી વિભાગના નિર્દેશકશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

વાપીમાં બુધવાર ગોઝારો સાબિત થયો : સ્‍કૂલ બસ અને કારના બે અકસ્‍માતમાં ત્રણ જીંદગી છીનવાઈ

vartmanpravah

પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય સ્‍તરીય ચિત્રકલા સ્‍પર્ધા -2021નું આયોજન કરાયું

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

યોગ ધ્‍યાન અને પ્રાણાયામને કારણે શારીરિક તકલીફોને કાબુમાં લઈ શકાય છે : તૃપ્તિબેન પરમાર

vartmanpravah

એ.બી.વી.પી. દ્વારા વલસાડ કોલેજ કેમ્‍પસમાં યોજાયેલ ફ્રેસર પાર્ટીમાં હજારો વિદ્યાર્થીઓ એકઠા થયા

vartmanpravah

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah

Leave a Comment