યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નિકળેલ રેલીમાં 600 ઉપરાંત લોકો જોડાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી ઉપલક્ષમાં વાપીમાં આજે યોગ જાગૃતતા રેલી યોજાઈ હતી.
ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ યોગ જાગૃતતા રેલી વાપીમાં નિકળી હતી. આ સંદર્ભે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જુનઝુનવાલા સ્કૂલ ટ્રસ્ટી ભવલેશભાઈ કોટડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ, યોગ પ્રશિક્ષક શીતલબેન ત્રિગોત્ર, માયાબેન ધોડગે, પ્રિતીબેન વૈષ્ણવ, શિલાબેન વશી સહિત શહેરના 600 ઉપરાંત નાગરિક ભાઈ-બહેન રેલીમાં જોડાયા હતા. અંબામાતા મંદિરથીનિકળેલ માર્ગ જાગૃતિ રેલી ગુંજનના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ પ્રસંગે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વડાપ્રધાનના જન્મ દિનની ઉજવણી અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહેલ છે.