Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નિકળેલ રેલીમાં 600 ઉપરાંત લોકો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી ઉપલક્ષમાં વાપીમાં આજે યોગ જાગૃતતા રેલી યોજાઈ હતી.
ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ યોગ જાગૃતતા રેલી વાપીમાં નિકળી હતી. આ સંદર્ભે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. રેલીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જુનઝુનવાલા સ્‍કૂલ ટ્રસ્‍ટી ભવલેશભાઈ કોટડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ, યોગ પ્રશિક્ષક શીતલબેન ત્રિગોત્ર, માયાબેન ધોડગે, પ્રિતીબેન વૈષ્‍ણવ, શિલાબેન વશી સહિત શહેરના 600 ઉપરાંત નાગરિક ભાઈ-બહેન રેલીમાં જોડાયા હતા. અંબામાતા મંદિરથીનિકળેલ માર્ગ જાગૃતિ રેલી ગુંજનના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. આ પ્રસંગે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વડાપ્રધાનના જન્‍મ દિનની ઉજવણી અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહેલ છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલી

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

Leave a Comment