March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નિકળેલ રેલીમાં 600 ઉપરાંત લોકો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી ઉપલક્ષમાં વાપીમાં આજે યોગ જાગૃતતા રેલી યોજાઈ હતી.
ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ યોગ જાગૃતતા રેલી વાપીમાં નિકળી હતી. આ સંદર્ભે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. રેલીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જુનઝુનવાલા સ્‍કૂલ ટ્રસ્‍ટી ભવલેશભાઈ કોટડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ, યોગ પ્રશિક્ષક શીતલબેન ત્રિગોત્ર, માયાબેન ધોડગે, પ્રિતીબેન વૈષ્‍ણવ, શિલાબેન વશી સહિત શહેરના 600 ઉપરાંત નાગરિક ભાઈ-બહેન રેલીમાં જોડાયા હતા. અંબામાતા મંદિરથીનિકળેલ માર્ગ જાગૃતિ રેલી ગુંજનના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. આ પ્રસંગે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વડાપ્રધાનના જન્‍મ દિનની ઉજવણી અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહેલ છે.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયના હસ્‍તે વણાંકબારાના મૃતક માછીમાર રમેશ નથુ બારીયાનું અકસ્‍માતમાં મોત થતાં રૂા.રૂા.7,78,560ના વીમાનો પરિવારને ચેક અર્પણ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશ રાજભાષા વિભાગ દ્વારા દમણ અને સેલવાસમાં ‘હિન્‍દી પખવાડા’નો કરાયેલો શુભારંભ

vartmanpravah

ચીખલીના સાદકપોરમાં ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વિવાદ બાદ પોલીસે બીજા પક્ષની ફરિયાદ લઈપિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો નોંધ્‍યો

vartmanpravah

વાપીમાં દર્દીઓ, જરૂરતમંદો અને દિવ્‍યાંગ બાળકોને નિઃશૂલ્‍ક ભોજન સેવાની શરૂઆત

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

Leave a Comment