January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિનની ઉજવણી અંતર્ગત યોગ જાગૃતતા રેલી યોજાઈ

યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ નિકળેલ રેલીમાં 600 ઉપરાંત લોકો જોડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી ઉપલક્ષમાં વાપીમાં આજે યોગ જાગૃતતા રેલી યોજાઈ હતી.
ગુજરાત યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ યોગ જાગૃતતા રેલી વાપીમાં નિકળી હતી. આ સંદર્ભે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. રેલીમાં વી.આઈ.એ. પ્રમુખ સતિષભાઈ પટેલ, જુનઝુનવાલા સ્‍કૂલ ટ્રસ્‍ટી ભવલેશભાઈ કોટડીયા, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ, યોગ પ્રશિક્ષક શીતલબેન ત્રિગોત્ર, માયાબેન ધોડગે, પ્રિતીબેન વૈષ્‍ણવ, શિલાબેન વશી સહિત શહેરના 600 ઉપરાંત નાગરિક ભાઈ-બહેન રેલીમાં જોડાયા હતા. અંબામાતા મંદિરથીનિકળેલ માર્ગ જાગૃતિ રેલી ગુંજનના વિવિધ વિસ્‍તારોમાં ફરી હતી. આ પ્રસંગે બે દિવસ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, વાપીમાં વડાપ્રધાનના જન્‍મ દિનની ઉજવણી અનેક સેવાકીય કાર્યો થકી થઈ રહેલ છે.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા’ પખવાડા અંતર્ગત: દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોમાં તળાવ અને અમૃત સરોવરોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

ધરમપુર એસટી ડેપો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” એક કલાક મહા શ્રમદાન પ્રવૃતિ યોજાઈ

vartmanpravah

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

Leave a Comment