Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલી અને દમણ દીવ નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રિવરફ્રન્‍ટ સેલવાસ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંસ્‍થાના પ્રણેતા સ્‍વામી ત્રિલોકનાથ મહારાજ અને સમાજ સેવક બાબુ ડેરે સહિત સભ્‍યોએ નેતાજીની તસ્‍વીરને પુષ્‍પમાળા અર્પિત કરી એમને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એમના વિચારો સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા અને યુવાઓ અને આવનાર પેઢીમાં એમની અલખ જાળવી રાખવાના ઉદ્દેશ્‍યથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે મનીષ મિશ્રા, સૌરભ શુક્‍લા, રાજુભાઈ, અનુજ પાંડે સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

વાપી મચ્‍છી માર્કેટમાં મોંઘીદાટ બીએમડબલ્‍યુ કારમાંથી 1.29 લાખનો દારૂ ઝડપાયો

vartmanpravah

આ વર્ષે વરસાદ ભૂક્કા કાઢી નાખશે ટીટોડીએ મૂકેલાં ઈંડા પરથી ખેડૂતોએ કરી આગાહી

vartmanpravah

દીવ પ્રશાસક દ્વારા નાગવા બીચથી ઘોડિધર બીચ પર 5 કિ.મી. લાંબી માનવ સાંકળનું આયોજન

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment