Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલી અને દમણ દીવ નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રિવરફ્રન્‍ટ સેલવાસ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંસ્‍થાના પ્રણેતા સ્‍વામી ત્રિલોકનાથ મહારાજ અને સમાજ સેવક બાબુ ડેરે સહિત સભ્‍યોએ નેતાજીની તસ્‍વીરને પુષ્‍પમાળા અર્પિત કરી એમને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એમના વિચારો સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા અને યુવાઓ અને આવનાર પેઢીમાં એમની અલખ જાળવી રાખવાના ઉદ્દેશ્‍યથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે મનીષ મિશ્રા, સૌરભ શુક્‍લા, રાજુભાઈ, અનુજ પાંડે સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

vartmanpravah

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

vartmanpravah

ઉમરગામ પાલિકાએ છેલ્લા એક વર્ષમાં નિયમોને નેવે મૂકી આપેલી બીયુપી સામે થનારી ઉચ્‍ચ સ્‍તરીય રજૂઆત

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. ફેઈઝ-2 બિલખાડી ઉપર બની રહેલ પુલની કામગીરીના વિલંબને લઈ હાડમારી

vartmanpravah

Leave a Comment