Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા સેલવાસ રિવરફ્રન્‍ટ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ મનાવવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલી અને દમણ દીવ નેશનલ હ્યુમન વેલફેર કાઉન્‍સિલ અને ભારતીય સંસ્‍કૃતિ યુવા મંચ દ્વારા રિવરફ્રન્‍ટ સેલવાસ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય અતિથિ તરીકે સંસ્‍થાના પ્રણેતા સ્‍વામી ત્રિલોકનાથ મહારાજ અને સમાજ સેવક બાબુ ડેરે સહિત સભ્‍યોએ નેતાજીની તસ્‍વીરને પુષ્‍પમાળા અર્પિત કરી એમને યાદ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એમના વિચારો સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા અને યુવાઓ અને આવનાર પેઢીમાં એમની અલખ જાળવી રાખવાના ઉદ્દેશ્‍યથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્‍યો હતો.
આ અવસરે મનીષ મિશ્રા, સૌરભ શુક્‍લા, રાજુભાઈ, અનુજ પાંડે સહિત કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહના અથોલામાં બિલ્‍ડર દ્વારા ખેડૂત પરિવાર સાથે બદઈરાદાથી છેતરપીંડી કરાતા એસ.પી.ને રાવ

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

તા.૩૧ માર્ચના રોજ તિજોરી કચેરીઓ તથા બેંકો ખુલ્લી રહેશે

vartmanpravah

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા 2(બે) ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથનો શુભારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment