(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલી અને દમણ દીવ નેશનલ હ્યુમન વેલફેર કાઉન્સિલ અને ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા રિવરફ્રન્ટ સેલવાસ ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સંસ્થાના પ્રણેતા સ્વામી ત્રિલોકનાથ મહારાજ અને સમાજ સેવક બાબુ ડેરે સહિત સભ્યોએ નેતાજીની તસ્વીરને પુષ્પમાળા અર્પિત કરી એમને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એમના વિચારો સિદ્ધાંતોને જન જન સુધી પહોંચાડવા અને યુવાઓ અને આવનાર પેઢીમાં એમની અલખ જાળવી રાખવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
આ અવસરે મનીષ મિશ્રા, સૌરભ શુક્લા, રાજુભાઈ, અનુજ પાંડે સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.