Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના દગાચી ગામની ફાયબરની બોટ વણાકબારાથી 150 કિલોમીટર દૂર દરિયામાં ગરકાવ થઈ હતી. જલારામ કૃપા બોટ નંબર IND DD 02 NM 2076 માલિક વનિતાબેન અમૃતલાલની બોટ હતી જે તારીખ 18 ઓક્‍ટોબરના રોજ વણાકબારાથી દોઢસો કિ.મી. દૂર ફિશિગમાં ગઈ હતી. અંદાજીત રાત્રે 12:30 કલાકે ઓઈલરીડ (જગડીયા) માં લાઈટ નહીં હોવાથી તેમની સાથે અથડાતા ફાઈબરની બોટ ચિરાઈ ગઈ હતી, અને દરિયામાં અકસ્‍માત સર્જાયો હતો. બોટમાં પાણી ભરાતા બોટમાં રહેલા ખલાસીઓએ પાંચ કિલોમીટર દૂર રહેલી વણાકબારાની એક બોટ મંગલમૂર્તિનો વાયરલેસ દ્વારા કોન્‍ટેક્‍ટ કરવામાં આવ્‍યો હતો, અને આ મંગલમૂર્તિ બોટ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને જલારામ કૃપા બોટમાં રહેલા ટંડેલ તથા ખલાસીઓનોઆબાદ બચાવો કર્યો હતો, જ્‍યારે જલારામ કળપા બોટ આશરે 70 થી 80 મીટર દરિયામાં અંદર ગડકાવ થઈ હતી. આ ઘટનામાં જલારામ કળપા બોટ માલિકને આશરે 40 લાખ જેટલું નુકસાન પહોંચ્‍યું છે.

Related posts

સેલવાસ પીડબ્‍લ્‍યુડી કાર્યાલયથી ન.પા. પ્રમુખના ઘર તરફ જતા રસ્‍તા ઉપર આડેધડ ખડકાયેલો કન્‍સ્‍ટ્રક્‍શન મટેરિયલ: વાહનચાલકો, રાહદારીઓ, રખડતા પશુઓને અકસ્‍માત થવાની ભીતિ

vartmanpravah

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ઓબીસી મોર્ચા દ્વારા ભગવાન વિશ્વકર્માની મહાપૂજાનું આયોજન: વિશાળ બાઈક રેલી પણ યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ફરજ બજાવતા શિક્ષકોની અનિયમિતતાથી બાળકોને પુરતું શિક્ષણ મળતું નથી

vartmanpravah

Leave a Comment