October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના દગાચી ગામની ફાયબરની બોટ વણાકબારાથી 150 કિલોમીટર દૂર દરિયામાં ગરકાવ થઈ હતી. જલારામ કૃપા બોટ નંબર IND DD 02 NM 2076 માલિક વનિતાબેન અમૃતલાલની બોટ હતી જે તારીખ 18 ઓક્‍ટોબરના રોજ વણાકબારાથી દોઢસો કિ.મી. દૂર ફિશિગમાં ગઈ હતી. અંદાજીત રાત્રે 12:30 કલાકે ઓઈલરીડ (જગડીયા) માં લાઈટ નહીં હોવાથી તેમની સાથે અથડાતા ફાઈબરની બોટ ચિરાઈ ગઈ હતી, અને દરિયામાં અકસ્‍માત સર્જાયો હતો. બોટમાં પાણી ભરાતા બોટમાં રહેલા ખલાસીઓએ પાંચ કિલોમીટર દૂર રહેલી વણાકબારાની એક બોટ મંગલમૂર્તિનો વાયરલેસ દ્વારા કોન્‍ટેક્‍ટ કરવામાં આવ્‍યો હતો, અને આ મંગલમૂર્તિ બોટ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને જલારામ કૃપા બોટમાં રહેલા ટંડેલ તથા ખલાસીઓનોઆબાદ બચાવો કર્યો હતો, જ્‍યારે જલારામ કળપા બોટ આશરે 70 થી 80 મીટર દરિયામાં અંદર ગડકાવ થઈ હતી. આ ઘટનામાં જલારામ કળપા બોટ માલિકને આશરે 40 લાખ જેટલું નુકસાન પહોંચ્‍યું છે.

Related posts

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

દાનહના વાઘછીપાની સરકારી શાળામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

વાપી અંબા માતા મંદિરે સદભાવના સંત સંમેલન યોજાયું

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં 1123 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

Leave a Comment