July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના દગાચી ગામની ફાયબરની બોટ વણાકબારાથી 150 કિલોમીટર દૂર દરિયામાં ગરકાવ થઈ હતી. જલારામ કૃપા બોટ નંબર IND DD 02 NM 2076 માલિક વનિતાબેન અમૃતલાલની બોટ હતી જે તારીખ 18 ઓક્‍ટોબરના રોજ વણાકબારાથી દોઢસો કિ.મી. દૂર ફિશિગમાં ગઈ હતી. અંદાજીત રાત્રે 12:30 કલાકે ઓઈલરીડ (જગડીયા) માં લાઈટ નહીં હોવાથી તેમની સાથે અથડાતા ફાઈબરની બોટ ચિરાઈ ગઈ હતી, અને દરિયામાં અકસ્‍માત સર્જાયો હતો. બોટમાં પાણી ભરાતા બોટમાં રહેલા ખલાસીઓએ પાંચ કિલોમીટર દૂર રહેલી વણાકબારાની એક બોટ મંગલમૂર્તિનો વાયરલેસ દ્વારા કોન્‍ટેક્‍ટ કરવામાં આવ્‍યો હતો, અને આ મંગલમૂર્તિ બોટ તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચીને જલારામ કૃપા બોટમાં રહેલા ટંડેલ તથા ખલાસીઓનોઆબાદ બચાવો કર્યો હતો, જ્‍યારે જલારામ કળપા બોટ આશરે 70 થી 80 મીટર દરિયામાં અંદર ગડકાવ થઈ હતી. આ ઘટનામાં જલારામ કળપા બોટ માલિકને આશરે 40 લાખ જેટલું નુકસાન પહોંચ્‍યું છે.

Related posts

વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્‍તિ આધ્‍યાત્‍મિક મેળો યોજાશે

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારના આંગડિયા, જવેલર્સ, બેન્‍કિંગ સંચાલકો સાથે જિલ્લા પોલીસે મીટીંગ યોજી

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

ગોઈમાંના આધેડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment