(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: કળિયુગના અંતમાં જ્યારે દુઃખોની અતિ થઈ જાય છે, ત્યારે વિશ્વભરના સર્વ મનુષ્ય આત્માઓને ગતિ-સદ્ગતિ આપવા તથા અધર્મનો નાશ અને પુનઃસત્ધર્મની સ્થાપના કરવા આપણા સૌના પ્યારા નિરાકાર પરમપિતા પરમાત્મા શિવ આ ભારત ભૂમિ પર અવતરિત થાય છે.
આપ સર્વેને જણાવવાનું કે, તા.8મી માર્ચ, 2024ને શુક્રવારના શિવજયંતિની સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો અનોખો સંગમ થઈ રહ્યો છે. આ શુભ અવસર પર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય વાપી શાખા તરફથી એક અદ્ભૂત ત્રિ-દિવસીય આધ્યાત્મિક મેળાનું આયોજન છરવાડા રોડના કોર્નર (હાઈવે) પર 8, 9 અને 10 માર્ચ સુધી લોકોના લાભાર્થે કરવામાં આવ્યું છે. જે વિનામૂલ્યે રહેશે.
8 માર્ચે ‘શિવ-શક્તિ દર્શન આધ્યાત્મિક મેળા’નું ઉદ્ઘાટન વાપીના શિવેષ મહાનુભાવો તથા શિવની શક્તિઓ- મહિલાઓ દ્વારા કરવામાં આવશે. 8 માર્ચે સવારે 7.30 વાગ્યે મેળાના ઉદ્ઘાટનના શુભ અવસર પર આવનાર દરેક મહિલાનું ભાવભીનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવશે.
આ અનોખા મેળામાં મહિલા સશક્તિકરણ પ્રદર્શન, બાર જ્યોતિર્લિંગમ્ દર્શન, રોડ સેફટી માર્ગદર્શન, પરમાત્મા શિવના સહષા દર્શન, ભારત માતા શક્તિ અવતારની ઝાંખી, આધ્યાત્મિક ચિત્રપ્રદર્શન તેમજ વ્યસન મુક્તિ માટે જ્ઞાન-યજ્ઞકુંડ રાખામાં આવશે. આ બધું અવલોકન કરવા માટે 9 માર્ચે સવારે 8થી રાત્રે 8 સુધી તથા 9 અને 10 માર્ચે સાંજે 4 થી 8 સુધી મેળો દરેક વર્ગ, ધર્મ અને જાતિના ભાઈ-બહેનો માટે વિનામૂલ્યે ખુલ્લો રાખવામાં આવશે.
વાપી તથા આસપાસ વિસ્તારના ભાવિક ભક્તોને સહ પરિવાર આ મેળામાં પધારવા વાપી બ્રહ્માકુમારી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મેળા પછી 11 થી 17 માર્ચ સુધી બ્રહ્માકુમારી આનંદ નગર, છરાડા રોડ સ્થિત સેવા કેન્દ્ર પર દિવસમાં 3 બેચ (એક કલાક)માં તણાવ મુક્તિ માટે રાજયોગ- મેડિટેશનનો ટ્રેનિંગ કોર્સ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે જે માટેના ફોર્મ મેળામાં ભરી શકાશે.