April 23, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03
દાદરા નગર હવેલીમાં આરોગ્‍ય વિભાગ દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા દેશના લોકોને સંબોધન કરવામાં આવ્‍યું હતું. તેમા એમણે જણાવ્‍યું હતું કે, 3જી જાન્‍યુઆરીથી 15થી 18વર્ષના બાળકો માટે વેક્‍સીનેશનનો પ્રારંભ કરાશે. જે સંદર્ભે પ્રદેશના 52(બાવન) સેન્‍ટરો સહિત શાળા પરિસરોમા વિદ્યાર્થીઓ માટે કોવેક્‍સિન ટીકાકરણનો પ્રારંભ કરવામા આવ્‍યો છે. જેમા પ્રથમ દિવસે 5166 લોકોને વેક્‍સીન આપી દેવામા આવી છે.
પ્રદેશમા અંદાજીત 14800 સરકારી તેમજ ખાનગી શાળાના બાળકોને વેક્‍સીન આપવામા આવશે. ટોકરખાડા સરકારી શાળામાં આચાર્ય શિક્ષકો અને આરોગ્‍ય અધિકારીની ઉપસ્‍થિતિમાં રસીકરણનો શુભારંભ કરવામા આવ્‍યો હતો. બાળકોને સોશિયલ ડીસ્‍ટન્‍સ સાથે ઉભા રાખી પહેલા એમનું રજીસ્‍ટ્રેશન કર્યા બાદ ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું.
દાનહ આરોગ્‍ય વિભાગના રસીકરણ મુખ્‍ય અધિકારી ડો.એ.કે.માહલાએ જણાવ્‍યું હતું કે, બાળકોને રસી આપવાની શરૂઆત પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જણાવ્‍યા પ્રમાણે 3જાન્‍યુઆરીથી પ્રદેશમાં કરવામાં આવી છે. જેને લઈ તમામ તૈયારી પૂર્ણ કરવામા આવીછે રસીના 34 હજાર ડોઝ અમારી પાસે આવી ચુકયા છે પ્રદેશનો કોઈ પણ બાળક રહી નહી જાય એનું ધ્‍યાન રાખવા જણાવાયું છે.

Related posts

વિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામું

vartmanpravah

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ગ્રામ પંચાયતોને ઈલેક્‍ટ્રીક રીક્ષા વિતરણ કરવામાં આવી

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બે દિવસથી સર્વર ધીમું ચાલતા લોકોને પડી રહેલી હાલાકી

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

Leave a Comment