July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણ કેમ્‍પસમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર યોજાયો જાગૃતિ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT) દમણ દ્વારા જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ એ મુખ્‍ય થીમ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ જાહેર વહીવટમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘ભ્રષ્ટાચાર નહીં; રાષ્‍ટ્ર પ્રત્‍યે પ્રતિબદ્ધતા’ની થીમ ઉપર NIFT કેમ્‍પસ દમણમાં એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે NIFT કેમ્‍પસમાં જાગૃતિના સમયગાળા દરમિયાન, વિદ્યાર્થીઓ, ફેકલ્‍ટી સભ્‍યો અને તમામ સ્‍ટાફે નાગરિકો માટે અખંડિતતાની પ્રતિજ્ઞા લઈને આ સંદેશને સ્‍વીકાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન કેમ્‍પસ ડાયરેક્‍ટર ડૉ. સંદીપ સચાન, SDAC ડૉ. રાહુલ કુશવાહા અને ટેક્‍સટાઇલ ડિઝાઇન વિભાગના પ્રમુખ ડૉ. પ્રવીણ ચવ્‍હાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ અવસરે વિવિધ વિભાગોના ફેકલ્‍ટી સભ્‍યોએ પણ શપથલીધા હતા, જેનું વાંચન ફેશન મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ વિભાગના પ્રમુખ શ્રી વિધુ શેખર પી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ટેક્‍સટાઇલ ડિઝાઇન, ફાઉન્‍ડેશન પ્રોગ્રામ અને ફેશન મેનેજમેન્‍ટ અભ્‍યાસના વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. અહીં ભેગાં થયેલા તમામ લોકોએ ભ્રષ્ટાચાર સામે ઓનલાઈન પ્રતિજ્ઞા લીધી અને તેમના ઈ-સર્ટિફિકેટ ડાઉનલોડ કર્યા હતા.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘આરોગ્‍ય, સંપત્તિ અને સુખ” ના વિષય ઉપર યોગ સંવાદ યોજાયો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશમાં રૂા.4850 કરોડથી વધારેના મૂલ્‍યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્‍યાસ અને લોકાર્પણ કર્યું

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

Leave a Comment