December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રિલાયન્‍સ ફાઉન્‍ડેશને દાનહની 87 પ્રાથમિક શાળામાં બાળકોને કરાવેલું તિથિ ભોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમનથી જ તેમણે પ્રદેશના બાળકોને શિક્ષણ અને તેમના ઉજ્જવળ ભવિષ્‍ય સહિતના સર્વાંગી વિકાસ માટેના વિવિધ ચક્રો ગતિમાન કર્યા હતા. જેના ભાગરૂપે એમની પ્રેરણાથી મધ્‍યાહ્‌ન ભોજન યોજના અંતર્ગત લોક ભાગીદારીથી શાળાના બાળકોને સમયે સમયે તિથિ ભોજન આપવાના કાર્યક્રમનું પણ પદાર્પણ કર્યું હતું.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી સંઘપ્રદેશની આંગણવાડીના નાનાં ભૂલકાંઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓને મધ્‍યાહ્‌ન ભોજનની સાથે સાથે દાતાઓ દ્વારા એમના પ્રાસંગિક દિવસોએ તિથિ ભોજન આપવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રિલાયન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા આજે દાદરા નગર હવેલીની 87 જેટલી પ્રાથમિક શાળાઓના 15 હજારથી વધુ બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે રિલાયન્‍સ ફાઉન્‍ડેશનના કર્મચારીઓ સાથે દાનહ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જેઓ દ્વારા બાળકોને આરોગ્‍યપ્રદ સંપૂર્ણ પૌષ્‍ટિક ભોજન પિરસવામાં આવ્‍યું હતું. જેનો શાળાના વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસ તથાખુશી-આનંદ સાથે લ્‍હાવો લીધો હતો.
અત્રે યાદ રહે કે, આંગણવાડીથી શાળાના બાળકોને મધ્‍યાહ્‌ન ભોજન સાથે પૂરક પૌષ્‍ટિક આહાર મળી રહે તે માટેના સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તમામ પ્રયાસોને સાર્થક કરવાના ભાગરૂપે આજે એક નાનકડા પગલાં રૂપે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

ચોમાસાની આગોતરી તૈયારીઃ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

સીડીએસ બિપિન રાવતજી અને એમની પત્‍ની મધુલિકા રાવત સહિત 11 અન્‍ય સૈન્‍ય અધિકારીઓનાથયેલા આકસ્‍મિક નિધન: દાનહ અને દમણ-દીવ ભાજપા યુવા મોરચા દ્વારા સેલવાસ ઝંડાચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

ડાભેલ આટિવાયાડમાં પ્લાસ્ટિક થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment