Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

ઈકો ફ્રેન્‍ડલી મુક્‍તિધામ હોવાથી 9,52,600 કિલો લાકડાની બચત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: છ વર્ષ પૂર્વે તા.27મે 2017 ના રોજ વાપી યુપીએલ મુક્‍તિધામનું લોકાર્પણ કરાયું હતું. મુક્‍તિધામના 6 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત મુક્‍તિધામ કમિટીની મિટીંગ મુક્‍તિધામમાં યોજાઈ હતી. જેમાં 6 વર્ષ વર્કિંગની કમિટીએ સમિક્ષા કરી હતી.
ગત તા.27મે 2017ના રોજ કૃષિ ખેડૂત કલ્‍યાણ અને પંચાયતી રાજના કેન્‍દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, રસાયણ, ખાતર, શિપિંગ, માર્ગ પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્‍તે વાપી મુક્‍તિધામ જાહેર જનતાને લાભ માટે લોકાર્પણ કરાયું હતું. વી.આઈ.એ. દ્વારા સંચાલિત મુક્‍તિધામ ચેરીટેબલટ્રસ્‍ટ દ્વારા અત્‍યંત આધુનિક ઈકો ફ્રેન્‍ડલી મુક્‍તિધામ કાર્યરત છે. મુક્‍તિધામમાં અત્‍યાર સુધી 4763 જેટલા મૃતદેહોનો અગ્નિ સંસ્‍કાર થયો છે. જેને કારણે લગભગ 9,52,600 કિ.ગ્રા. લાકડાની બચત થઈ છે. 6 વર્ષ પૂર્ણ થયા મિનિત્તે મુક્‍તિધામમાં સંચાલક મંડળ (ટ્રસ્‍ટીઓ)ની મિટિંગ યોજાઈ હતી. કામગીરીની સમિક્ષા થઈ હતી. જેમાં જુની ઈલેક્‍ટ્રીક ભઠ્ઠીનું નવિનિકરણ, તેમજ મુક્‍તિધામમાં આવેલ સભાખંડમાં ઈકો પ્રુફ સિસ્‍ટમ લગાવાશે. મિટિંગમાં મુક્‍તિધામ ચેરીટેબલ ટ્રસ્‍ટી, પ્રમુખ, વી.આઈ.એ. એડવાઈઝરી બોર્ડના મેમ્‍બર યોગેશ કાબરીયા, ટ્રસ્‍ટ માનદમંત્રી તુષાર શાહ, માનદમંત્રી મગનભાઈ સાવલીયા, વી.આઈ.એ. પ્રમુખ નોટિફાઈડ ચેરમેન સતિષ પટેલ, પૂર્વ વી.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આપેલી સલામ મુજબ દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં જિ.પં. સભ્‍યોએ જમ્‍પોર સુધી ઈ-બસમાં કરેલી મુસાફરી

vartmanpravah

દાનહના ડોકમરડી ખાતે ભારત સ્‍કાઉટ ગાઈડના બેઝિક લીડરશીપ પ્રશિક્ષણ શિબિરનું સમાપનઃ દાનહની વિવિધ શાળાઓના 39 શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

વાપીમાં રૂા.4.પ0 કરોડના ખર્ચે સાકાર થયેલાઆર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના વાણિજ્‍ય મહાવિદ્યાલય ભવનનું મુખ્‍યમંત્રીના હસ્‍તે લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી બલીઠાના યુવકને ટાઉન પોલીસમાં બોગસ ફોન કરવો ભારે પડયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

Leave a Comment