April 20, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03 : પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા ‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની કડીમાં આજે શુક્રવારે દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ‘‘ભ્રષ્ટાચારનો વિરોધ કરો; રાષ્‍ટ્રને સમર્પિત થાઓ” વિષય પર વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં કિશન મિશ્રા, પીયુષ કુમાર અને પૂજા ભીસે વિજેતા થયા હતા. સ્‍પર્ધાના મુખ્‍ય નિર્ણાયકો તરીકે પાવર ગ્રિડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિ અને ઈજનેર શ્રદ્ધા દાલમિયા હતા.
આ પ્રસંગે પોલિટેકનિક કોલેજના પ્રિન્‍સિપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે મજબૂત લડત આપવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત વરિષ્ઠ ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રીમતી મરિયમ્‍મા થોમસે પણ તેમના વક્‍તવ્‍યમાં દરેકને પ્રમાણિકતાથી કામ કરવા પ્રેરણા આપી હતી.
દરમિયાન પાવર ગ્રિડ મગરવાડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિએ કોલેજના પ્રાધ્‍યાપકો, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ તથા પાવર ગ્રિડના અન્‍ય કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્‍યા હતા. આ અવસરે સુશ્રી બન્‍યા બેનર્જી, શ્રી કમલેશ ચૌધરી અને પાવર ગ્રીડના અન્‍ય અધિકારીઓ સહિત કોલેજ સ્‍ટાફ હાજર રહ્યો હતો.

Related posts

ભાજપના નેતાઓએ ૪૦ કરોડનું જમીન કૌભાંડ આચર્યું  હોવાનો કોંગ્રેસનો આરોપ 

vartmanpravah

સેવામાં નિષ્‍કામ ભાવ જરૂરી : સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ

vartmanpravah

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah

ભારત સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહને દમણની મુલાકાત લઈ વિવિધ કાર્યાન્‍વિત પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપીમાં ટેમ્‍પોથી પત્રકારને ટક્કર મારી ભાગેલ ટેમ્‍પો ચાલક ઝડપાયો

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment