October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી અંતર્ગત ‘પાવર ગ્રિડ’ મગરવાડાએ દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં યોજેલી વક્‍તવ્‍ય સ્‍પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.03 : પાવરગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા લિમિટેડ દ્વારા ‘સતર્કતા એજ જાગરૂકતા સપ્તાહ- 2023’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેની કડીમાં આજે શુક્રવારે દમણની સરકારી પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે ‘‘ભ્રષ્ટાચારનો વિરોધ કરો; રાષ્‍ટ્રને સમર્પિત થાઓ” વિષય પર વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં કિશન મિશ્રા, પીયુષ કુમાર અને પૂજા ભીસે વિજેતા થયા હતા. સ્‍પર્ધાના મુખ્‍ય નિર્ણાયકો તરીકે પાવર ગ્રિડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિ અને ઈજનેર શ્રદ્ધા દાલમિયા હતા.
આ પ્રસંગે પોલિટેકનિક કોલેજના પ્રિન્‍સિપાલશ્રીએ વિદ્યાર્થીઓને ભ્રષ્ટાચાર સામે મજબૂત લડત આપવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત વરિષ્ઠ ડેપ્‍યુટી જનરલ મેનેજર શ્રીમતી મરિયમ્‍મા થોમસે પણ તેમના વક્‍તવ્‍યમાં દરેકને પ્રમાણિકતાથી કામ કરવા પ્રેરણા આપી હતી.
દરમિયાન પાવર ગ્રિડ મગરવાડના ચીફ મેનેજર શ્રી રાજેશ જાંગીતિએ કોલેજના પ્રાધ્‍યાપકો, સ્‍ટાફ અને વિદ્યાર્થીઓ તથા પાવર ગ્રિડના અન્‍ય કર્મચારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવ્‍યા હતા. આ અવસરે સુશ્રી બન્‍યા બેનર્જી, શ્રી કમલેશ ચૌધરી અને પાવર ગ્રીડના અન્‍ય અધિકારીઓ સહિત કોલેજ સ્‍ટાફ હાજર રહ્યો હતો.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા દાદરા નગર હવેલી દ્વારા સમાવેશી શિક્ષા અંતર્ગત એન્‍વાયરમેંટ બિલ્‍ડીંગ પ્રોગ્રામનું આયોજન કરાયું

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

vartmanpravah

Leave a Comment