Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું
વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: શ્રી સુરત-વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્‍વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્‍માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્‍ટન-યુ.કે. મૂળ, પૂણા)ના પ્રમુખપદે અને વલસાડતાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશિષભાઈ ગોહિલ અને લીલાપોરના માજી સરપંચ જ્‍યોતિબેન ગોહિલના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્‍યુ હતું. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ કયારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્‍થા અન્‍ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્‍યું હતું. મંડળના પ્રમુખ રાજેન્‍દ્ર એમ.સોલંકીએ આ સંસ્‍થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્‍યો હતો. આ સમારોહમાં રૂ.5 લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું હતું. જેઓનું અભિવાદન કરાયુ હતું. પરદેશથી ઉપસ્‍થિત રહેલા દાતા ગં.સ્‍વ.સુશીલાબેન હસમુખભાઈ સિંહલ, કમલેશ વી.ચૌહાણ અને પરિવાર તથા યુ.કે. અને યુ.એસ.એ.થી ઉપસ્‍થિત રહેલા દાતાઓ દ્વારા સમાજના ડોક્‍ટર, એન્‍જિનિયર, આઈઆઈટી પુરસ્‍કાર વિજેતા, સરકારી અધિકારી, ધો.10, 12, ગ્રેજ્‍યુએટ અનેપોસ્‍ટ ગ્રેજ્‍યુએટના તેજસ્‍વી વિદ્યાર્થીઓ સહિત કુલ 137 પ્રતિભાઓનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની, હિરેન રોહિત, સુરેશ ચૌહાણ અને હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ પોલીસ દ્વારા સતત 24 દિવસ સર્ચ ઓપરેશન હાથ ધરી 11 વર્ષના ગુમ થયેલ બાળકને સુરતના કતારગામથી સુરક્ષિત પરત લાવી પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

Leave a Comment