April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ શબ્‍દ મા આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે : પ્રફુલભાઈ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ખેરગામમાં રામજી મંદિરે ચાલી રહેલી પ્રફુલભાઈ શુક્‍લની દેવી ભાગવત કથામાં આજે દુર્ગા અષ્ટમીના દિવસે સમૂહ નવ ચંડી યજ્ઞ યોજાયો હતો. અમેરિકાથી દિલીપભાઈ ચન્‍દ્રકાન્‍ત મોદી દ્વારા ટેલિફોનિક સંકલ્‍પ લેવાયો હતો. આચાર્ય અને સહ વક્‍તા મિતેશભાઈ જોશી, ચિંતન જોશી, અનિલભાઈ શુક્‍લ, અંકુરભાઈ શુક્‍લ દીપકભાઈ બારોટ દ્વારા મન્‍ત્ર ઉચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા. બીલીમોરા, ગણદેવી વિસ્‍તારના ભા.જ.પ. મહિલા અગ્રણી સુમિત્રાબેન માહલા, તા.પં. ઉપ પ્રમુખ લીનાબેન અમદાવાદી, રસ્‍મિબેન ટેલર, ઊર્મિષબેન ગજ્જર, જાગૃતિબેન અનિલભાઈ કાપડિયા, મોહનભાઈ પટેલ, બિપીનભાઈ ભેરવી, ઉષાબેન ચીમન પાડા યુવરાજ સિંહ બેસને, રમેશભાઈ કુંવાવાળા, ડો.દેવેન્‍દ્રભાઈ માહલા, લીલાબેન પટેલ, મનુભાઈ રૂપાભવાની, જીતુ રાજપુરોહિત સહીત મોટી સંખ્‍યામાં ભાવિકો યજ્ઞમાં બિરાજીને આહુતિ આપી હતી. રામજી મંદિર ટ્રસ્‍ટ, મહિલા મન્‍ડલ, જાયન્‍ટ ગ્રુપ, અને ગોપી મંડલનાસહયોગથી સુવર્ણ જ્‍યંતી મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે.
આજે કથામાં મહાકાળી પ્રાગટય ઉત્‍સવ ઉજવતા પ્રફુલભાઈ શુક્‍લ એ કહ્યું હતું કે, માઁ શબ્‍દમાં આખુ બ્રહ્માંડ સમાઈ જાય છે. મા કરુનામયિ કાલી છે. આઠમું નોરતું મહાગોવરી માતાનું છે. શારદીય નવરાત્રી અને દેવી ભાગવત કથાને શુક્રવારે 12 વાગે વિરામ આપવામાં આવશે. માતાજીની મૂર્તિ અને જવારાને ઔરંગા નદી પર શનિઘાટ પર વિસર્જન કરવામાં આવશે. બપોરે ભોજન પ્રસાદ ભંડારો બીલીમોરાના સુમિત્રાબેન માહલા તરફથી રાખવામાં આવ્‍યો છે. વેદાંશ્રમ નાંધાઈના રતિલાલ પટેલનું મિતેશભાઈ જોશીએ સન્‍માન કર્યું હતું.

Related posts

ચીખલીના મજીગામમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગને જોડતા લિંક રોડ સ્‍થિત મોતને આમંત્રણ આપી રહેલ ફયુઝ વગરની ખુલ્લી ડીપી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના બીજા વર્ષના બી. ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે દાદરા એન્‍ડ નગર હવેલી એન્‍ડ દમણ એન્‍ડ દીવ અને પીપરિયા, સેલવાસ ખાતે આવેલી સન ફાર્માસ્‍યુટિકલ ઈન્‍ડસ્‍ટ્રીસ લિમિટેડ કંપનીમાં બે દિવસ માટે ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

પાલઘરના મનોર ખાતે ખાડીમાં માછીમારી કરવા ગયેલ યુવક પર શાર્કનો હુમલો

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment