October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જુન -2022 માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્‍ટરનીપરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 30/08/2022 મંગળવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પુજારી વંદના શિવા એ 9.44 સી.પી.આઈ. મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં દશમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના આધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય. પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી. હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

સેલવાસની ખાનગી શાળાના સંગીત શિક્ષકે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

vartmanpravah

Leave a Comment