March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: કપરાડા તાલુકાના સુખાલા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ બહેરામભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ બહેરામભાઈ પટેલે આજરોજ સુખાલા ગામની પ્રજા માટે નિઃશુલ્‍ક મોક્ષરથની સુવિધા ઉપલબ્‍ધ કરી હતી. સુખલાગામ નિશાણા ફળિયું ખાતે રહેતા શ્રી દીપકભાઈ અને શ્રી ડાહ્યાભાઈએ એમના સ્‍વ.માતા ઝમકુબેન બહેરામભાઈ અને સ્‍વ.પિતા બહેરામભાઈ ભગુભાઈ પટેલના સ્‍મરણાર્થે સુખાલા ગામની જનતા માટે મોક્ષ રથની સેવા અર્પણકરી હતી. આ લોકાર્પણ વિધિમાં પરિવારની પૌત્રી અને હાલ તાલુકા પંચાયતનો સભ્‍ય કુંજલબેન દીપકભાઈ પટેલે સુખાલા ગામની જનતાને મારુ ગામ એ મારો સમાજ અને પરિવારનો સંદેશો આપી દરેક કાર્યમાં હર હંમેશ નિઃસ્‍વાર્થ સેવા આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુખાલા ગામના તેમ જ આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા વાપીની ઔપચારિક મુલાકાતે પધાર્યા

vartmanpravah

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્‍કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

‘વન મહોત્‍સવ-2023′ અંતર્ગત દાનહ વન વિભાગે તિનોડામાં કર્યું વૃક્ષારોપણ

vartmanpravah

Leave a Comment