(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: કપરાડા તાલુકાના સુખાલા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ બહેરામભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ બહેરામભાઈ પટેલે આજરોજ સુખાલા ગામની પ્રજા માટે નિઃશુલ્ક મોક્ષરથની સુવિધા ઉપલબ્ધ કરી હતી. સુખલાગામ નિશાણા ફળિયું ખાતે રહેતા શ્રી દીપકભાઈ અને શ્રી ડાહ્યાભાઈએ એમના સ્વ.માતા ઝમકુબેન બહેરામભાઈ અને સ્વ.પિતા બહેરામભાઈ ભગુભાઈ પટેલના સ્મરણાર્થે સુખાલા ગામની જનતા માટે મોક્ષ રથની સેવા અર્પણકરી હતી. આ લોકાર્પણ વિધિમાં પરિવારની પૌત્રી અને હાલ તાલુકા પંચાયતનો સભ્ય કુંજલબેન દીપકભાઈ પટેલે સુખાલા ગામની જનતાને મારુ ગામ એ મારો સમાજ અને પરિવારનો સંદેશો આપી દરેક કાર્યમાં હર હંમેશ નિઃસ્વાર્થ સેવા આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુખાલા ગામના તેમ જ આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી.