Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુખાલા ગામની પ્રજાની સેવામાં ડાહ્યાભાઈ અને દીપકભાઈએ સ્‍વ.માતા પિતાના સ્‍મરણાર્થે મોક્ષરથનુ કરેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: કપરાડા તાલુકાના સુખાલા ગામના વતની શ્રી ડાહ્યાભાઈ બહેરામભાઈ પટેલ અને શ્રી દીપકભાઈ બહેરામભાઈ પટેલે આજરોજ સુખાલા ગામની પ્રજા માટે નિઃશુલ્‍ક મોક્ષરથની સુવિધા ઉપલબ્‍ધ કરી હતી. સુખલાગામ નિશાણા ફળિયું ખાતે રહેતા શ્રી દીપકભાઈ અને શ્રી ડાહ્યાભાઈએ એમના સ્‍વ.માતા ઝમકુબેન બહેરામભાઈ અને સ્‍વ.પિતા બહેરામભાઈ ભગુભાઈ પટેલના સ્‍મરણાર્થે સુખાલા ગામની જનતા માટે મોક્ષ રથની સેવા અર્પણકરી હતી. આ લોકાર્પણ વિધિમાં પરિવારની પૌત્રી અને હાલ તાલુકા પંચાયતનો સભ્‍ય કુંજલબેન દીપકભાઈ પટેલે સુખાલા ગામની જનતાને મારુ ગામ એ મારો સમાજ અને પરિવારનો સંદેશો આપી દરેક કાર્યમાં હર હંમેશ નિઃસ્‍વાર્થ સેવા આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે સુખાલા ગામના તેમ જ આજુબાજુના ગામના સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

સરપંચોનાં અલ્‍ટીમેટમ બાદ આરએન્‍ડબીએ વલસાડ-ખેરગામ રોડનું કામ કરવાં વન વિભાગ પાસે માંગેલી કામચલાઉ મંજૂરી

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

મરલા-ગામથાણા ખાતે તા.૧ થી ૭ મી એપ્રિલ શ્રીમદ ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment