Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું
વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: શ્રી સુરત-વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ, બારડોલી દ્વારા સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના તેજસ્‍વી તારલા, વિશિષ્ટ પ્રતિભા અને વિદેશથી પધારેલા મહેમાનોનો સન્‍માન સમારંભ સમાજના શૈક્ષણિક સંકુલમાં સમાજના અગ્રણી પ્રવિણચંદ્ર પરમાર (બોલ્‍ટન-યુ.કે. મૂળ, પૂણા)ના પ્રમુખપદે અને વલસાડતાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન અશિષભાઈ ગોહિલ અને લીલાપોરના માજી સરપંચ જ્‍યોતિબેન ગોહિલના ઉદ્દઘાટક પદે યોજાયો હતો.
આ પ્રસંગે સમાજની દીકરી અને બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞા પરમારનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ વેળા જીજ્ઞા પરમારે સમાજના બાળકોને જીપીએસી અને યુપીએસસી પરીક્ષા અંગે માર્ગદર્શન આપ્‍યુ હતું. સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિત પટેલે જે સમાજનું ઘડતર ભણતરથી થતું હોય તે સમાજ કયારેય પાછળ ના પડે જણાવી રોહિત સમાજની આ સંસ્‍થા અન્‍ય સમાજના બાળકોને પણ શિક્ષણક્ષેત્રે ઉપયોગી થઈ રહી હોવાનું જણાવ્‍યું હતું. મંડળના પ્રમુખ રાજેન્‍દ્ર એમ.સોલંકીએ આ સંસ્‍થા દ્વારા ગરીબ જરૂરીયાતમંદ બાળકોને ભણાવવામાં આવે છે તેનો ચિતાર આપી દાતાઓ દ્વારા દાનના પ્રવાહને બિરદાવ્‍યો હતો. આ સમારોહમાં રૂ.5 લાખથી વધુનું દાન વિવિધ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવ્‍યું હતું. જેઓનું અભિવાદન કરાયુ હતું. પરદેશથી ઉપસ્‍થિત રહેલા દાતા ગં.સ્‍વ.સુશીલાબેન હસમુખભાઈ સિંહલ, કમલેશ વી.ચૌહાણ અને પરિવાર તથા યુ.કે. અને યુ.એસ.એ.થી ઉપસ્‍થિત રહેલા દાતાઓ દ્વારા સમાજના ડોક્‍ટર, એન્‍જિનિયર, આઈઆઈટી પુરસ્‍કાર વિજેતા, સરકારી અધિકારી, ધો.10, 12, ગ્રેજ્‍યુએટ અનેપોસ્‍ટ ગ્રેજ્‍યુએટના તેજસ્‍વી વિદ્યાર્થીઓ સહિત કુલ 137 પ્રતિભાઓનું સન્‍માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન યાસીન મુલતાની, હિરેન રોહિત, સુરેશ ચૌહાણ અને હેમંત ચૌહાણ દ્વારા કરવામાં આવ્‍યું હતું. સમારોહમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્‍તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર

vartmanpravah

વાંસદા તાલુકાના વાંગણ ગામે ‘ઉમિયા વાંચન કુટીર’નું લોકાર્પણ કરાયું

vartmanpravah

મલાવની મચ્‍છરે રેફ્રિજરેશન પ્રોડક્‍ટ પ્રા. લિ. કંપનીએ આદિવાસીની જમીન પર કરેલા ગેરકાયદેસર કબજા સામે ચાલુ કરેલી તપાસમાં અધિકારીઓની ઢીલી નીતિ

vartmanpravah

દાનહ અને દમણમાં ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

Leave a Comment