Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: શિક્ષણ એજ શ્રેષ્ઠ કલ્‍યાણ સુત્રને સાર્થક કરવા માટે વલસાડના સરોધી કા મહારાજા યુવા ગૃપ દ્વારા સરહદી વિસ્‍તારની અસલકાંટી કેન્‍દ્રમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી લઈ ધો.8 સુધી કુલ 80 થી વધુ માતા કે પિતા વિનાના બાળકોને દફતર, નોટબુક, પેન્‍સિલ, રબર, બોલપેનની કિટ વિતરણ કરવામાં આવી હતી. આ વર્ષે આ સંસ્‍થા દ્વારા કુલ 500 કિટનું વિતરણ કરવામાં આવ્‍યુ છે.
જન્‍મદિન, લગ્ન એનિવર્સરી કે કોઈ સ્‍વજનોની પુણ્‍યતિથિએ આપેલ દાન દ્વારા શિક્ષણ એ જ શ્રેષ્ઠ કલ્‍યાણ સેવાયજ્ઞ પ્રજ્‍વલિત થઈ રહ્યો છે. જેનું સમગ્ર સંચાલન શિક્ષક દંપત્તિ સ્‍નેહલભાઈ અને ચાંદનીબેન તેમજઆનંદભાઈ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. શૈક્ષણિક કીટ દરમિયાન કપરાડા તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર સંજયભાઈ બી. મકવાણા, સી.આર.સી. કો-ઓર્ડીનેટર પ્રિયંકાબેન ઠાકોર તથા કેન્‍દ્ર શિક્ષક ધર્મેશભાઈ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડી ડુમલાવમાં આઠમા દિવસે વધુ એક દિપડો પાંજરે પુરાયો : હજુ પણ વધુ દિપડા ફરી રહ્યા છે

vartmanpravah

વાપી સોશિયલ ગ્રુપના પ્રમુખ અને સભ્‍યો દ્વારા આ વર્ષે 1600 ગરમ ધાબડાનું જરૂરિયાત મંદોને વિતરણ કરાયું

vartmanpravah

મહારાષ્‍ટ્રના ઉપ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડનવીસએ સંઘપ્રદેશ ભાજપના પૂર્વ પ્રભારી રઘુનાથ કુલકર્ણીના મુંબઈ ખાતેના નિવાસ સ્‍થાન પર સ્‍થાપિત ગણેશજીના કરેલા દર્શન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા 6 એપ્રિલથી ‘ગાંવ ગાંવ ચલો, ઘર ઘરચલો’ અભિયાન શરૂ કરાશે

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

Leave a Comment