Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ચીખલી,(વંકાલ), તા.24: સુરખાઈ ગામે પ્રાંત અધિકારી મિતેશભાઈ પટેલ મામલતદાર અર્જુન વસાવા ટીડીઓ ચેતનભાઈ દેસાઈ ખેતીવાડી વિભાગના અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ સિંચાઈ અધ્‍યક્ષ નિકુંજ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ ભાજપ કિસાન મોરચાના પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ, નાયબ મામલતદાર વિજયભાઈ રબારી, દિવ્‍યેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલા રવિકૃષિ મહોત્‍સવમાં મોટી સંખ્‍યામાં તાલુકા ભરમાંથી ઉપસ્‍થિત ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરતા જણાવ્‍યું હતું કે, આજે બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્‍યારે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્‍પાદિત આહારનો ઉપયોગ જ આ બીમારીઓને નાથી શકે તેમ છે. પ્રાકૃતિક ખોરાકથી આપણે તંદુરસ્‍તને લાબું જીવન જીવીશકીશું પ્રાકૃતિક ખેતીમાં ઉત્‍પાદન ખર્ચ ઘટવા સાથે ખેડૂતોને તેમની ઉપજના ભાવો પણ સારા મળી રહે છે.

રવિકૃષિ મહોત્‍સવમાં કૃષિ પરિસંવાદ ઉપરોક્‍ત પશુ આરોગ્‍ય કેમ્‍પ સાથે કળષિના 25-જેટલા સ્‍ટોલો પણ લગાવવામાં આવ્‍યા હતા. સાથે લાભાર્થી ખેડૂતોને આંબા કલમ વાવેતર માટેની સહાય ઉપરાંત સાધનો માટેની સહાયનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

રવિકૃષિ મહોત્‍સવ દરમ્‍યાન તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ પણ યોજવામાં આવતા આરોગ્‍ય વિભાગ દ્વારા 41-જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્‍ય કાર્ડ તથા 17-જેટલાને આભાકાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું.

રવિકૃષિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત ભાજપના કિસાન મોરચાના ગુજરાત પ્રદેશમંત્રી આશિષભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના ધ્‍યેય સાથે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી આ પ્રકારે કૃષિ મહોત્‍સવ યોજી ખેડૂતોને ઘર આંગણે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથે ડ્રિપ ઈરીગેશનમાં નેવું ટકા સબસીડી, કિસાન સન્‍માન નિધિ, ખેતીવાડીના જોડાણમાં કિસાન સૂર્યોદય યોજના સહિતની યોજનાઓ અમલમાં છે. સાથે તેમણે પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ પખવાડા અંતર્ગત દમણમાં ‘સફાઈ મિત્ર સુરક્ષા શિબિર’નું કરાયેલું આયોજન

vartmanpravah

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસ દ્વારા પારડીના ડુમલાવ ખાતે 71 માં ખેડ સત્‍યાગ્રહ કિસાન રેલીનું થયું આયોજન

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

Leave a Comment