Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

આઠ ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા : અમીત મુરલીધર અને સોમલું ધરમુભાઈનું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ધરમપુરના રાજપુરી જંગલ ગામે છકડો રિક્ષા પલટી જતા બે ના મોત જ્‍યારે અન્‍ય ઘાયલ આઠને સારવાર બાદ રજા અપાઈ હતી. મજુરો ભરેલ રિક્ષાની બ્રેક નહી લાગતા ગોમટીપાડા ફળીયા નજીક ઘાટ ઉતરતા અકસ્‍માત સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધનેશ રમેશભાઈ ધનગરીયા રહે.રાજપુરી જંગલ પોતાનો છકડો રિક્ષા નં.જીજે 15 વાય 5764 લઈ મજુરોને બેસાડી ધરમપુરના ખાનવેલ નજીક મજુરી કામે નિકળ્‍યા હતા ત્‍યારે ગોતમીપાડા નજીક ઘાટ ઉતરતા વેળાએ વળાંકમાં બ્રેક નહિ લાગતા રિક્ષા પલટી મારી 10 થી 12 ફૂટ નીચે ફંગોળાઈ ગઈ હતી. સવાર મજુરો પૈકી અમિત મુરલીધર કુલકર્ણી રહે.હટવાડા ફળીયુ અને સોમલું ધરમુભાઈ કુવરને વધુ ઈજાઓ પહોંચી હતી. સોમલુ ભાઈને 108 દ્વારા ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં લવાયેલમાં અમીત કુલકર્ણીનું સારવારમાં મોત નિપજ્‍યું હતું. જ્‍યારે વધુ સારવાર માટે સોમલુભાઈને વલસાડ સિવિલ ખસેડાયા હતા ત્‍યાં સારવાર દરમિયાન દમ તોડયો હતો. અન્‍ય ઘાયલોની નાની મોટી ઈજાની સારવાર બાદ રજા અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકોનીમાંગ છે. ગોમતીપાડા ઘાટ નજીક પ્રોટેકશન વોલ બનાવાની જરૂરીયાત છે.

Related posts

દાનહ રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ પુનર્વાસ કેન્‍દ્ર સેલવાસમાં વિશ્વ દિવ્‍યાંગ દિવસ સમારોહનું કરાયેલું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

વલસાડ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા સગર્ભા માતાઓની ફરજીયાત સોનોગ્રાફી કરવાની શરૂઆત

vartmanpravah

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

મુંબઈના ઊંડા દરિયામાં ડુબી ગયેલ દીવની ‘શિવ સુંદર’ નામની બોટને યુવા જાગૃત માછીમારોએ ભારે મહેનત બાદ બહાર કાઢી

vartmanpravah

Leave a Comment