Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

26 નવેમ્‍બરે સંવિધાન દિવસની ઉજવણી કરઈ : સંવિધાન બચાવો સહિતની સેંકડો લોકોએ પ્રતિજ્ઞા લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: 26 નવેમ્‍બરના દિવસનો ખાસ મહિમા ભારત વર્ષમાં સંકળાયેલ છે. આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાપીમાંડો.બાબા સાહેબ આંબેડકર સંવિધાન બચાવ સમિતિ દ્વારા રવિવારે સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
26 નવેમ્‍બરનો દિવસ સ્‍વતંત્ર ભારતના ઈતિહાસમાં મહત્ત્વનો ઐતિહાસિક દિવસ છે. 1949માં આ દિવસે દેશની સંવિધાન સભાએ વિધિવત કાર્યરત કરેલ અને દેશને સમર્પિત કરવામાં આવેલ સંવિધાન સ્‍વતંત્ર નાગરિકનો અહેસાસ કરાવે છે. તેથી સંવિધાન દિવસની ઉજવણી ભારતભરમાં થાય છે. રવિવારે 28મી નવેમ્‍બરે વાપીમાં સંવિધાન બચાવ સમિતિ દ્વારા સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. ચણોદ સર્કલ ઉપર વિધિવત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ફુલહારનું પૂજન કરી ઉપસ્‍થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. ત્‍યારબાદ ભારતના બંધારણ ઘડવૈયાની સુંદર પ્રતિમા સાથે શણગારે રથ સાથે હજારો લોકોની રેલી નિકળી હતી. રેલી મોરારજી સર્કલ ગુંજન ઈમરાન નગર ફરીને ચણોદ પહોંચી હતી. જ્‍યાં સભામાં ફેરવાઈ હતી. સભામાં સંવિધાન અંગે વિશિષ્‍ટ માહિતી આપવામાં આવી હતી.

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

દમણ જિલ્લા માટે ચૌપાલના નવતર પ્રયોગથી ગ્રામજનોમાં સુકા અને ભીના કચરા માટે આવી રહેલી જાગૃતિ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

Leave a Comment