નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વી.આઈ.એ. હોલમાં
દબદબાપૂર્વક કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: છેલ્લા કેટલાક દિવસથી વલસાડજિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પ્રથમ ધરમપુર તે પછી વલસાડમાં તેમજ રવિવારે વાપીમાં જિલ્લા ભાજપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમ વી.આઈ.એ. હોલમાં યોજાયો હતો.
વાપીનો ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમની જાહેરાત હાઈવે જય રીસર્ચમાં યોજવાની કરાઈ હતી પરંતુ રવિવારે વરસાદી વાતાવરણ બનતા સ્થળ ફેરફાર કરીને વી.આઈ.એ.માં યોજવામાં આવ્યો હતો. રાજ્યના કેબીનેટ નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં યાોજયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નાણામંત્રી કનુભાઈએ ખિચોખીચ ભરેલા વી.આઈ.એ. હોલમાં કાર્યકરોના સ્વાગત સાથે જુસ્સો અને સંગઠન શક્તિ વધારવાની હાંકલ કરી હતી તેમજ આગામી લોકસભાની વલસાડ જિલ્લાની સંસદીય બેઠક ઉપર દોઢથી બે લાખની સરસાઈ સાથે જીતશે તેનો આત્મવિશ્વાસ હતો.