Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

26 નવેમ્‍બરે સંવિધાન દિવસની ઉજવણી કરઈ : સંવિધાન બચાવો સહિતની સેંકડો લોકોએ પ્રતિજ્ઞા લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: 26 નવેમ્‍બરના દિવસનો ખાસ મહિમા ભારત વર્ષમાં સંકળાયેલ છે. આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વાપીમાંડો.બાબા સાહેબ આંબેડકર સંવિધાન બચાવ સમિતિ દ્વારા રવિવારે સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
26 નવેમ્‍બરનો દિવસ સ્‍વતંત્ર ભારતના ઈતિહાસમાં મહત્ત્વનો ઐતિહાસિક દિવસ છે. 1949માં આ દિવસે દેશની સંવિધાન સભાએ વિધિવત કાર્યરત કરેલ અને દેશને સમર્પિત કરવામાં આવેલ સંવિધાન સ્‍વતંત્ર નાગરિકનો અહેસાસ કરાવે છે. તેથી સંવિધાન દિવસની ઉજવણી ભારતભરમાં થાય છે. રવિવારે 28મી નવેમ્‍બરે વાપીમાં સંવિધાન બચાવ સમિતિ દ્વારા સંવિધાન દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી. ચણોદ સર્કલ ઉપર વિધિવત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું ફુલહારનું પૂજન કરી ઉપસ્‍થિત લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી. ત્‍યારબાદ ભારતના બંધારણ ઘડવૈયાની સુંદર પ્રતિમા સાથે શણગારે રથ સાથે હજારો લોકોની રેલી નિકળી હતી. રેલી મોરારજી સર્કલ ગુંજન ઈમરાન નગર ફરીને ચણોદ પહોંચી હતી. જ્‍યાં સભામાં ફેરવાઈ હતી. સભામાં સંવિધાન અંગે વિશિષ્‍ટ માહિતી આપવામાં આવી હતી.

Related posts

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

ચીખલી તાલુકાની કલીયારી, ફડવેલ અને માણેકપોર ગ્રામ પંચાયતોની કચેરીઓ જર્જરિત બનતા લાંબા સમયથી કચેરીનો કારભાર અન્‍ય મકાનોમાં ચલાવવાની નોબત

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

સલવાવ શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં “Lifesaver CPR and Personal Health Record Management Workshop” વિષય ઉપર વ્‍યાખ્‍યાન અને વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment