September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

વાંસદા તાલુકામાં 11 પીએચસી અને 71 જેટલી આરોગ્‍ય સબ સેન્‍ટરમાં ત્રણ દિવસ 371 જેટલા દર્દીઓએ ઓપીડીમાં તપાસ કરાવી : 163 દર્દીઓને તાવ, શરદી અને ખાસીના લક્ષણનો જણાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: હવામાન વિભાગની આગાહીનાં પગલે ચીખલી તાલુકામાં ત્રણ દિવસ કાળા વાદળો વચ્‍ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી જેથી કરી શનિવારના રોજથી હવામાનમાં ફેરફાર સાથે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્‍યારે રવિવાર અને સોમવારના રોજ વરસાદની આગાહી મુજબબે દિવસ પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રવિવારે 20 એમએમ અને સમવારે 17 એમએમ જેટલો વરસાદ નોંધાવા પામ્‍યો હતો. ભર શિયાળામાં કમોસમી વરસાદથી ઋતુમાં પણ ફેર બદલ સાથે આરોગ્‍યને પણ અસર કારક થવા માપ્‍યું હતું. ચીખલી તાલુકામાં તાવ, શરદી, ખાસી જેવા રોગોએ માથું ઉચકયું હતું. જેથી કરી તાલુકામાં આવેલા ગામે ગામ આરોગ્‍ય સબસેન્‍ટરમાં તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ ઓપીડીમાં ત્રણ દિવસમાં કુલ 457 જેટલા ચોંકાવનારાં આંકડા સામે આવ્‍યા હતા. ચીખલી તાલુકા હેલ્‍થ ઓફિસના તાબા હેઠળ 12 પીએચસી અને 79 જેટલા આરોગ્‍ય હેલ્‍થ સબસેન્‍ટર ગામે ગામ આવ્‍યા છે જેમાં ત્રણ દિવસમાં ખરાબ વાતાવરણનાં કારણે ગામે ગામનાં દર્દીઓએ નજીકના આરોગ્‍ય સબસેન્‍ટરમાં જઈને ઓપીડીમાં તપાસ કરાવી હતી જેમાં મોટા ભાગના તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ દવા લેવાની ફરજ પડી હતી જ્‍યારે ચીખલી તાલુકામાં એવી ઘણી ખાનગી હોસ્‍પિટલો પણ આવી છે પરંતુ આમ જનતા સાથે આદિવાસી વિસ્‍તારના લોકોએ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લેવા કરતાં નજદીકના સરકારી આરોગ્‍ય સબસેન્‍ટરમાં તપાસ કરાવી હતી. જેમાં આરોગ્‍ય કેન્‍દ્રનાં ઓફિસરો અને કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ ફરજ બજાવી 457 જેટલા દર્દીઓને તપાસ સાથેસારવાર આપી હતી.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશનું ગૌરવ પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત દાદરા નગર હવેલીના બે વિદ્યાર્થીઓ નવી દિલ્‍હી ખાતે આયોજિત 78મા સ્‍વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લેશે

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

Leave a Comment