March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

વાંસદા તાલુકામાં 11 પીએચસી અને 71 જેટલી આરોગ્‍ય સબ સેન્‍ટરમાં ત્રણ દિવસ 371 જેટલા દર્દીઓએ ઓપીડીમાં તપાસ કરાવી : 163 દર્દીઓને તાવ, શરદી અને ખાસીના લક્ષણનો જણાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: હવામાન વિભાગની આગાહીનાં પગલે ચીખલી તાલુકામાં ત્રણ દિવસ કાળા વાદળો વચ્‍ચે કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી જેથી કરી શનિવારના રોજથી હવામાનમાં ફેરફાર સાથે વાતાવરણમાં અચાનક ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્‍યારે રવિવાર અને સોમવારના રોજ વરસાદની આગાહી મુજબબે દિવસ પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રવિવારે 20 એમએમ અને સમવારે 17 એમએમ જેટલો વરસાદ નોંધાવા પામ્‍યો હતો. ભર શિયાળામાં કમોસમી વરસાદથી ઋતુમાં પણ ફેર બદલ સાથે આરોગ્‍યને પણ અસર કારક થવા માપ્‍યું હતું. ચીખલી તાલુકામાં તાવ, શરદી, ખાસી જેવા રોગોએ માથું ઉચકયું હતું. જેથી કરી તાલુકામાં આવેલા ગામે ગામ આરોગ્‍ય સબસેન્‍ટરમાં તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ ઓપીડીમાં ત્રણ દિવસમાં કુલ 457 જેટલા ચોંકાવનારાં આંકડા સામે આવ્‍યા હતા. ચીખલી તાલુકા હેલ્‍થ ઓફિસના તાબા હેઠળ 12 પીએચસી અને 79 જેટલા આરોગ્‍ય હેલ્‍થ સબસેન્‍ટર ગામે ગામ આવ્‍યા છે જેમાં ત્રણ દિવસમાં ખરાબ વાતાવરણનાં કારણે ગામે ગામનાં દર્દીઓએ નજીકના આરોગ્‍ય સબસેન્‍ટરમાં જઈને ઓપીડીમાં તપાસ કરાવી હતી જેમાં મોટા ભાગના તાવ, શરદી અને ખાસી જેવા દર્દીઓએ દવા લેવાની ફરજ પડી હતી જ્‍યારે ચીખલી તાલુકામાં એવી ઘણી ખાનગી હોસ્‍પિટલો પણ આવી છે પરંતુ આમ જનતા સાથે આદિવાસી વિસ્‍તારના લોકોએ ખાનગી હોસ્‍પિટલોમાં સારવાર લેવા કરતાં નજદીકના સરકારી આરોગ્‍ય સબસેન્‍ટરમાં તપાસ કરાવી હતી. જેમાં આરોગ્‍ય કેન્‍દ્રનાં ઓફિસરો અને કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ ફરજ બજાવી 457 જેટલા દર્દીઓને તપાસ સાથેસારવાર આપી હતી.

Related posts

પ્રધાનમંત્રીનરેન્‍દ્રભાઈ મોદીને આવકારવા દમણમાં યોજાયો અભૂતપૂર્વ રોડ શો

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

પારડીની શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિગ શાળામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું કોવિડ-19નું રસીકરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment