(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03
પારડી નજીક આવેલી શ્રી વલ્લભ સંસ્કારધામ ડે બોર્ડિંગ શાળામાં 15 થી 18 વર્ષ વયજુથના વિદ્યાર્થીઓનું રસીકરણ તા.03/01/22ના રોજ કરવામાં આવ્યું હતું. ભારત સરકારના નવા અભિયાન મુજબ 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓને તેમની જ શાળામાં કોવિડ- 19ની રસી આપવાનું શરૂ કરેલ છે. નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ (ઓમીક્રોન) તેમજ કોવિડ-19 જેવી કોઈપણ પ્રકારની ગંભીર બિમારીથી બચાવવા માટે શાળાના આચાર્ય શ્રી દેવેન્દ્ર સિંઘ દ્વારા વાલીઓ સાથે ઓનલાઈન મીટિંગ કરી પૂરી માહિતી આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને ધોરણ પ્રમાણે અલગ અલગ સમયએ બોલાવવામાં આવ્યા હતા. ધોરણ-9 થી 12 ના વિદ્યાર્થીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં કુલ 204 વિદ્યાર્થીઓએ રસી લીધીહતી. શાળાના વિદ્યાર્થીઓ માટે શાળા તરફ પૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને રસી લીધા પછી અડધો કલાક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.