Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ દ્વારા નારાયણ સેવા સંસ્‍થા, ઉદયપુરના સહયોગથી નિઃશુલ્‍ક દિવ્‍યાંગ ઓપરેશન અને લિંબ કેલીપર્સ શિબિર અને નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પનું આયોજન તા.03-12-2023 રવિવારે સવારે 9 થી સાંજે 5 સુધી સ્રી સૌરાષ્‍ટ્ર કડવા પાટીદાર સેવા સમાજ, ધરમપુર ચોકડી પાસે, વલસાડ ખાતે યોજવામાં આવ્‍યો હતો. જેમાં મુખ્‍ય મહેમાન વલસાડ કલેક્‍ટર શ્રીમતિ ક્ષિપ્રા આગ્રે અને અતિથિ વિશેષ સમાજ સુરક્ષા અધિકારી શ્રી વી.એમ. ગોહિલ પધાર્યા હતા.
હાલ નાની ઉંમરના હાર્ટએટેકના ઘણા કિસ્‍સા વધી ગયા છે તો તે જોઈને ઉમિયા ગ્રુપે રાહત દરે બોડી ચેકઅપ કેમ્‍પનું આયોજન કર્યું હતું. જેમાં 340 જાગરૂક નાગરિકોએ લાભ લીધો હતો. જે શ્રીનાથ લેબના સહકારથી પૂર્ણ થયો હતો. નિરાલી હોસ્‍પિટલનવસારીના સીઈઓ કર્નલ જેલસન અને મેડિકલ સુપ્રીડેન્‍ટ, ડો.જેવીન જામેલીયા (કાર્ડિયોલોજી), ડો.રવિ પટેલ (કાર્ડિયાર્ક સર્જન), ડો.નિહાર દેસાઈ (ફીજીસ્‍યન) એમની ટીમ સાથે સેવા આપી હતી. જેમાં 225 પેશન્‍ટની તપાસ કરાઈ અને બીપી, બ્‍લડ સુગર, લીપીડ પ્રોફાઈલ સાથે 180 પેશન્‍ટને ફ્રી ઈસીજીનો લાભ મળ્‍યો હતો. વલસાડ જિલ્લાના દિવ્‍યાંગ ભાઈ-બહેનો માટે નારાયણ સેવા સંસ્‍થા, ઉદયપુરના અંચલજી અને મુકેશજી સાથે ટીમ આવી હતી. જેમને 127 દર્દીઓને તપાસ કરી, 8 દર્દીઓને ઓપરેશન અને 100 દર્દીઓને પગ અને 17 દર્દીઓને હાથનો માપ લેવામાં આવ્‍યો, જેમને 4 ફેબ્રુઆરી 2023 ના દિવસે નિઃશુલ્‍ક હાથ-પગ લગાવવામાં આવશે. ઉમિયા સોશ્‍યલ ટ્રસ્‍ટ વલસાડના કેપ્‍ટન અશોક પટેલએ આ માનવતાના કાર્ય માટે દાનની અપીલ કરી છે.

Related posts

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપુત કર્ણી સેનાએ બગવાડા ટોલ પ્‍લાઝા ઉપર ચક્કાજામ કરી હાઈવે ઓથોરિટીને માથે લીધી

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામાજિક અને સાંસ્‍કૃતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીયસંસ્‍થા) દ્વારા વાપી ખાતે 16 સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રા યોજાશે

vartmanpravah

Leave a Comment