September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

ગંભીર રીતે ઘાયલ થયેલ મોટર સાયકલ સવારને વલસાડ હોસ્‍પિટલમાં ખસેડાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર માણેકપોર પાસે એક અર્ટિગા કાર ચાલકે કાબુ ગુમાવતા મોટર સાયકલને અડફેટે લીધા બાદ કાર મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા ભારે અફરા તફરી મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના સમયે સાદડવેલ ગામના વાંઝરી ફળિયા ખાતે રહેતા મંગુભાઈ તેમની બજાર મોટર સાયકલ નં.જીજે-21-એચ-3357 પર ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ચીખલી- વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર માણેકપોર પાસેના ચાર રસ્‍તા પાસે વળવા જતા વાંસદા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ મારૂતિ અર્ટિગા કાર નં.જીજે-30-એ-2609ના ચાલકે સ્‍ટેરિંગ પરનો કાબુ ગુમાવતા મોટર સાયકલને અડફેટે લીધા બાદ કાર મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જઈ શટર સાથે ધડાકાભેર અથડાતા આસપાસમાં હાજર લોકોમાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી અને મેડિકલ સ્‍ટોરને પણ ભારે નુકસાન સાથે દુકાનનું શટર પણ તૂટી જવા પામ્‍યું હતું.
બીજી તરફ મોટર સાયકલ સવાર મંગુભાઈને શરીરે ગંભીર ઈજા થતાં 108ની મદદે સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. વધુમાં કાર ચાલક પણ ડરી જતા પોલીસ મથકે હાજર થઈગયો હતો. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે આ લખાય ત્‍યાં સુધી પોલીસ ચોપડે ગુનો નોંધાયો ન હતો. પરંતુ મોટર સાયકલ ચાલક માણેકપોર પાટીયા પાસે વળવા જતા તેને બચાવવામાં કાર ચાલક સફળ ન રહેતા અકસ્‍માત સર્જાયો હતો કે કેમ? તે પોલીસ તપાસ બાદ જ હકીકત બહાર આવશે.

Related posts

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment