September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોને મળવી જોઈએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: તાજેતરમાં ચોમાસા દરમ્‍યાન ભારે વરસાદના કારણે વલસાડ શહેરની આસપાસનાં ગામોમાં રસ્‍તાઓ મોટા પાયે ટૂટી જવા પામેલ હતાં તેને તાત્‍કાલિક અસરથી બનાવવા માટે વલસાડ જિલ્લા ભાજપના અન્‍ય ભાષાભાષી સેલનાં માજી સંયોજક વિજય ગોયલે એક પત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, ચોમાસું દરમ્‍યાન જિલ્લાની સધ્‍ધર ગ્રામપંચાયતોએ ટૂટેલારસ્‍તાઓની રીપેરીંગ કામ કરાવ્‍યું છે. પરંતુ અન્‍ય ગ્રામપંચાયતો આર્થિક સમસ્‍યાઓનાં કારણે રીપેરીંગ કામ ઉચિત રીતે કરાવી શકી નથી માટે જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર થયેલા છે તેમને તાત્‍કાલિક અસરથી ગ્રાન્‍ટની રકમ ફાળવવામાં આવે. તથા જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર નથી થયાં ત્‍યાં તાત્‍કાલિક અસરથી રસ્‍તાઓ મંજૂર કરી ગ્રાન્‍ટ ઝડપથી ફાળવવામાં આવે કારણકે લોકસભાની ચૂંટણીનાં કારણે માર્ચ-એપ્રિલ મહિનામાં આચાર સંહિતા લાગુ પડી શકે છે. બિસ્‍માર રસ્‍તાઓના કારણે લોકોમાં ભારે નારાજગી છે જેને ધ્‍યાનમાં રાખી અધિકારીઓને જવાબદારી સોંપવા માટે વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને અનુરોધ કર્યો છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોનાં નાગરિકોને મળવી જોઈએ જે ગ્રામપંચાયતો વલસાડ જિલ્લાની નગરપાલિકાઓની આસપાસ આવેલ છે તેમાં મળે છે કે નહીં તે તપાસ કરાવી એ ગ્રામ પંચાયતોનાં લોકોને અપાવવા કાર્યવાહી કરવા વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે.

Related posts

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

દહાડ પ્રાથમિક શાળાની જમીન વિવાદિત મુદ્દે સ્‍ટેમ્‍પ ડ્‍યુટી મૂલ્‍યાંકન તંત્રએ પાઠવેલી નોટિસ

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્‍થિતિમાં તા.18 અને 19મી ઓગસ્‍ટે દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટ ખાતે યોજાશે ભાજપની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા આયોજિત ‘અંજનશલાકા પ્રતિષ્ઠા અષ્ટાન્હિકા મહોત્સવ’માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: શ્રીમદ્દ રાજચંદ્ર મિશને અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્વથી સેવાની જ્યોત પ્રજ્વલિત કરી છે

vartmanpravah

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

Leave a Comment