Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોને મળવી જોઈએ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: તાજેતરમાં ચોમાસા દરમ્‍યાન ભારે વરસાદના કારણે વલસાડ શહેરની આસપાસનાં ગામોમાં રસ્‍તાઓ મોટા પાયે ટૂટી જવા પામેલ હતાં તેને તાત્‍કાલિક અસરથી બનાવવા માટે વલસાડ જિલ્લા ભાજપના અન્‍ય ભાષાભાષી સેલનાં માજી સંયોજક વિજય ગોયલે એક પત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્‍યું છે કે, ચોમાસું દરમ્‍યાન જિલ્લાની સધ્‍ધર ગ્રામપંચાયતોએ ટૂટેલારસ્‍તાઓની રીપેરીંગ કામ કરાવ્‍યું છે. પરંતુ અન્‍ય ગ્રામપંચાયતો આર્થિક સમસ્‍યાઓનાં કારણે રીપેરીંગ કામ ઉચિત રીતે કરાવી શકી નથી માટે જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર થયેલા છે તેમને તાત્‍કાલિક અસરથી ગ્રાન્‍ટની રકમ ફાળવવામાં આવે. તથા જે ગ્રામપંચાયતોનાં રસ્‍તાઓ મંજૂર નથી થયાં ત્‍યાં તાત્‍કાલિક અસરથી રસ્‍તાઓ મંજૂર કરી ગ્રાન્‍ટ ઝડપથી ફાળવવામાં આવે કારણકે લોકસભાની ચૂંટણીનાં કારણે માર્ચ-એપ્રિલ મહિનામાં આચાર સંહિતા લાગુ પડી શકે છે. બિસ્‍માર રસ્‍તાઓના કારણે લોકોમાં ભારે નારાજગી છે જેને ધ્‍યાનમાં રાખી અધિકારીઓને જવાબદારી સોંપવા માટે વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને અનુરોધ કર્યો છે.
વલસાડ જિલ્લામાં વલસાડ અર્બન ડેવલપમેન્‍ટ ઓથોરિટીની રચના થયેલી હોવાથી નગરપાલિકાઓમાં મળવા પાત્ર સુવિધાઓ ગ્રામપંચાયતોનાં નાગરિકોને મળવી જોઈએ જે ગ્રામપંચાયતો વલસાડ જિલ્લાની નગરપાલિકાઓની આસપાસ આવેલ છે તેમાં મળે છે કે નહીં તે તપાસ કરાવી એ ગ્રામ પંચાયતોનાં લોકોને અપાવવા કાર્યવાહી કરવા વિજય ગોયલે જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે.

Related posts

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

પિપરિયા પર હુમલો, પ્રદેશમુક્‍ત કર્યો તેને સ્‍વદેશી લોકો અને કેન્‍દ્ર સરકારના હાથમાં સોંપીને રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવ્‍યો અને પહેરેલ કપડે જ સિલવાસામાંથી બહાર નીકળ્‍યા

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા બે કર્મચારીઓને આપવામાં આવેલું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment