Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

વીજ કંપનીએ નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે અને આજદિન સુધી તેમને વળતર આપવામાં આવેલ નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાદરા નગર હવેલીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતની અધ્‍યક્ષતામાં દાનહના આંબોલી પટેલાદ, બિન્‍દ્રાબિન ગામમાં ગૌચરણની જમીન અને આંબોલી માનીપાડાના લોકોની બાપદાદાના કબ્‍જાવાળી જમીનના હક્ક માટે ખાનવેલના આરડીસીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખાનવેલ આર.ડી.સી.ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે ઈલેક્‍ટ્રીક કંપનીએ શ્રી નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે. જેમને આજદિન સુધી વળતર આપવામાં આવેલ નથી. તેથી ન્‍યાય અપાવવા, સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્‍યારે બિન્‍દ્રાબિન ખાતેની ગૌચરણની જમીનમાંથી ખાનગી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે સરકારી જમીન બગડી રહી છે. ઉપરાંત આંબોલી પટેલાદમાં માનીપાડાની જમીન આર.ડી.સી. ખાનવેલ કાર્યાલયમાં પેન્‍ડિંગ પડેલ છે એના ન્‍યાય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતદ્વારા યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Related posts

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

ભીલાડ નજીક ડેહલીનીસ્‍ટાર્ટા કંપનીની બાંધકામ સાઈટ ઉપર સર્જાયેલા અકસ્‍માતમાં એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment