વીજ કંપનીએ નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે અને આજદિન સુધી તેમને વળતર આપવામાં આવેલ નથી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાદરા નગર હવેલીના અધ્યક્ષ શ્રી ભિખલ ખુલાતની અધ્યક્ષતામાં દાનહના આંબોલી પટેલાદ, બિન્દ્રાબિન ગામમાં ગૌચરણની જમીન અને આંબોલી માનીપાડાના લોકોની બાપદાદાના કબ્જાવાળી જમીનના હક્ક માટે ખાનવેલના આરડીસીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખાનવેલ આર.ડી.સી.ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઈલેક્ટ્રીક કંપનીએ શ્રી નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે. જેમને આજદિન સુધી વળતર આપવામાં આવેલ નથી. તેથી ન્યાય અપાવવા, સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્યારે બિન્દ્રાબિન ખાતેની ગૌચરણની જમીનમાંથી ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે સરકારી જમીન બગડી રહી છે. ઉપરાંત આંબોલી પટેલાદમાં માનીપાડાની જમીન આર.ડી.સી. ખાનવેલ કાર્યાલયમાં પેન્ડિંગ પડેલ છે એના ન્યાય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્યક્ષ શ્રી ભિખલ ખુલાતદ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.