Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

વીજ કંપનીએ નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે અને આજદિન સુધી તેમને વળતર આપવામાં આવેલ નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાદરા નગર હવેલીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતની અધ્‍યક્ષતામાં દાનહના આંબોલી પટેલાદ, બિન્‍દ્રાબિન ગામમાં ગૌચરણની જમીન અને આંબોલી માનીપાડાના લોકોની બાપદાદાના કબ્‍જાવાળી જમીનના હક્ક માટે ખાનવેલના આરડીસીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખાનવેલ આર.ડી.સી.ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે ઈલેક્‍ટ્રીક કંપનીએ શ્રી નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે. જેમને આજદિન સુધી વળતર આપવામાં આવેલ નથી. તેથી ન્‍યાય અપાવવા, સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્‍યારે બિન્‍દ્રાબિન ખાતેની ગૌચરણની જમીનમાંથી ખાનગી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે સરકારી જમીન બગડી રહી છે. ઉપરાંત આંબોલી પટેલાદમાં માનીપાડાની જમીન આર.ડી.સી. ખાનવેલ કાર્યાલયમાં પેન્‍ડિંગ પડેલ છે એના ન્‍યાય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતદ્વારા યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Related posts

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીનેવલસાડ કલેક્‍ટરે દંડ ફટકાર્યો

vartmanpravah

પ્રદૂષણનો પ્રશ્ન ઉકેલનાર વલસાડની સરકારી ઈજનેરી કોલેજને રાષ્ટ્રીય એવોર્ડ સાથે 1 લાખનું ઈનામ પણ મળ્યું

vartmanpravah

ધરમપુરના વિરવલ અને નાની ઢોલડુંગરી ગામોના સરપંચ-ઉપ સરપંચનીવરણી કરાઈ

vartmanpravah

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

‘મિશન-2024′: દાનહ અને દમણ-દીવ ભાજપનું બૂથ સશક્‍તિકરણ ઉપર જોરઃ નવા ભાજપ પ્રભારી વિનોદ સોનકરે આપેલો વિજય મંત્ર

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment