Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા ગૌચરણની જગ્‍યા બચાવવા અને જમીનમાંથી માટી ખનન અટકાવવા ખાનવેલ આરડીસીને રજૂઆત

વીજ કંપનીએ નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે અને આજદિન સુધી તેમને વળતર આપવામાં આવેલ નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાદરા નગર હવેલીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતની અધ્‍યક્ષતામાં દાનહના આંબોલી પટેલાદ, બિન્‍દ્રાબિન ગામમાં ગૌચરણની જમીન અને આંબોલી માનીપાડાના લોકોની બાપદાદાના કબ્‍જાવાળી જમીનના હક્ક માટે ખાનવેલના આરડીસીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખાનવેલ આર.ડી.સી.ને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્‍યા પ્રમાણે ઈલેક્‍ટ્રીક કંપનીએ શ્રી નવસા ધાંગડાની જમીનમાં વીજપોલ ઉભા કર્યા છે. જેમને આજદિન સુધી વળતર આપવામાં આવેલ નથી. તેથી ન્‍યાય અપાવવા, સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જ્‍યારે બિન્‍દ્રાબિન ખાતેની ગૌચરણની જમીનમાંથી ખાનગી કોન્‍ટ્રાક્‍ટર દ્વારા ગેરકાયદેસર રીતે માટી ઉલેચવામાં આવી રહી છે, જેના કારણે સરકારી જમીન બગડી રહી છે. ઉપરાંત આંબોલી પટેલાદમાં માનીપાડાની જમીન આર.ડી.સી. ખાનવેલ કાર્યાલયમાં પેન્‍ડિંગ પડેલ છે એના ન્‍યાય માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના અધ્‍યક્ષ શ્રી ભિખલ ખુલાતદ્વારા યોગ્‍ય ઉકેલ લાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

પારડીના ડુમલાવ ગામમાં ખુંખાર દિપડાના રાત્રે આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ

vartmanpravah

વાપી જમીયત ઉલમાએ ટ્રસ્‍ટ અને લાયન્‍સ ક્‍લબ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપીમાં મોટાભાઈએ ખુની જંગ ખેલ્‍યો: નાનાભાઈને કોયતાથી રહેંસી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

Leave a Comment