Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

વલસાડ વિધાનસભા મત વિસ્તારના 4, પારડીના 3 અને ધરમપુરના 2 બુથોની મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૦૬: ભારતના ચૂંટણી પંચ નવી દિલ્લી દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા. 12/08/2022ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ અન્વયે તા.21/08/2022(રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022(રવિવાર) અને તા.11/09/2022 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ સંદર્ભે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગરના નિયામકશ્રી ડી.એન.મોદીની વલસાડ જિલ્લાના ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે તા.03/09/2022ના રોજ 16 કલાકે કલાકે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તથા તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તા.01.10.2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 17-00 કલાકે વલસાડ જિલ્લાના રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી હતી. વધુમાં તા.04/09/2022ના રોજ 179-વલસાડ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલી 4 બુથોની, 180-પારડી વિધાનસભા મતદાર વિભાગના 3 બુથ તથા 178-ધરમપુર (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના 2 બુથોની મુલાકાત લઈ મતદાન મથક પર હાજર બુથ લેવલ ઓફિસરને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Related posts

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનનો ચૂંટણી કાર્યક્રમ જાહેર

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

દાનહઃ પીપરીયાના નવા પુલ પર કારચાલકે ગાયને ટક્કર મારતા ઘાયલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગિલ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

Leave a Comment