September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

પ્રિન્‍સિપલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી. ડીગ્રી મેળવી તે બદલ સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર હાઈસ્‍કૂલમાં શાનદાર વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓએ પ્રસ્‍તૂત કરેલ સાથે સાથે વાર્ષિક ઉત્‍સવમાં શાળાના તેજસ્‍વી તારલાઓનું મુખ્‍ય અતિથિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વાપી છરવાડામાં કાર્યરત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્‍કૂલમાં વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે જી.આઈ.ડી.સી. રિજનલ મેનેજર (પ્રોપર્ટી) કુલદિપસિંહ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ પરમાર, પ્રોપર્ટી લોયર, ડો.ધર્મેન્‍દ્રસિંહ પરમાર સર્જન હરીયા હોસ્‍પિટલ, સંગ્રામસિંહ રાણા પ્રેસિડેન્‍ટ ઓફ અર્પણ ફાઉન્‍ડેશન, દામજીભાઈ છેડા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળામાં રમત ગમત ક્ષેત્રે તેમજ અભ્‍યાસના તેજસ્‍વી તારલાઓનું મહેમાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શાળાના પ્રિન્‍સિપાલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી.ની પદવી મેળવી તે બદલ અતિથિ વિશેષએ સન્‍માન કર્યું હતું તેમજ શાળાના શિક્ષક પરિવારે શ્રીમતી ભારતીબા જાડેજા તથા ચેરમેન હિંમતસિંહ જાડેજાને મોમેન્‍ટો આપી સન્‍માન કર્યું હતું. વાર્ષિકઉત્‍સવમાં શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જુલાઈ-2023 માસનો વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો: ગત માસના 9 અને ચાલુ માસના 28 મળી કુલ 37 અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરાયો

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

vartmanpravah

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment