October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

પ્રિન્‍સિપલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી. ડીગ્રી મેળવી તે બદલ સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર હાઈસ્‍કૂલમાં શાનદાર વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો વિદ્યાર્થીઓએ પ્રસ્‍તૂત કરેલ સાથે સાથે વાર્ષિક ઉત્‍સવમાં શાળાના તેજસ્‍વી તારલાઓનું મુખ્‍ય અતિથિના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વાપી છરવાડામાં કાર્યરત રાજ રાજેશ્વરી વિદ્યામંદિર સ્‍કૂલમાં વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં મુખ્‍ય અતિથિ તરીકે જી.આઈ.ડી.સી. રિજનલ મેનેજર (પ્રોપર્ટી) કુલદિપસિંહ સોલંકી, ધર્મેન્‍દ્રસિંહ પરમાર, પ્રોપર્ટી લોયર, ડો.ધર્મેન્‍દ્રસિંહ પરમાર સર્જન હરીયા હોસ્‍પિટલ, સંગ્રામસિંહ રાણા પ્રેસિડેન્‍ટ ઓફ અર્પણ ફાઉન્‍ડેશન, દામજીભાઈ છેડા જેવા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળામાં રમત ગમત ક્ષેત્રે તેમજ અભ્‍યાસના તેજસ્‍વી તારલાઓનું મહેમાનો દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. શાળાના પ્રિન્‍સિપાલ ડો.રાજેશ્વરીએ પી.એચ.ડી.ની પદવી મેળવી તે બદલ અતિથિ વિશેષએ સન્‍માન કર્યું હતું તેમજ શાળાના શિક્ષક પરિવારે શ્રીમતી ભારતીબા જાડેજા તથા ચેરમેન હિંમતસિંહ જાડેજાને મોમેન્‍ટો આપી સન્‍માન કર્યું હતું. વાર્ષિકઉત્‍સવમાં શાળાના બાળકો અને વાલીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં બાળભવનના મકાનનું ઉદ્ધાટન કરાયું 

vartmanpravah

શ્રી સુધીર ફડકે પાસે એક લાઈટ મશીનગન હતી જે છુપાવવા મટે તેમણે વાયોલીન રાખવાની ફીડલનો ઉપયોગ કર્યો હતો, છતાં તેની ગમે ત્‍યાં તપાસ થઈ શકે એવો ભય તો માથે રહેતો જ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લીધેલી સૌજન્‍ય મુલાકાત

vartmanpravah

Leave a Comment