(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપીમાં વિદ્યાથીઓની ઉજવળ કારકિર્દી અને ભવિષ્ય માટે સેમીનાર યોજીને ઉચ્ચતમ માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંતર્ગત ચાર્ટડ એકાઉન્ટ દિવસની ઉજવણીમાં સી.એ. શ્રી જીતેન્દ્ર વર્માના વડપણ હેઠળ એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લીઘેલ તમામ વિધાર્થી મિત્રોને સી.એ. તથા જી.એસ.ટી. કોર્ષ વિશે, ઉજવળ કારકીર્દી, તેમજ પરીક્ષાની તૈયારીઓ વિશે અને સામાજમાં સી.એ. તથા જી.એસ.ટી.ના સ્થાન અને મોભા વિશે સાચી સમજ આપી હતી. વર્ષ 2008 થી કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં સી.એ. પરીક્ષાનું કેન્દ્ર હોય દરેક વિધાર્થીઓને આ પરીક્ષા કેન્દ્રનો લાભ લેવા માટે આહવાન આપ્યું હતું. આ પ્રોગ્રામનું સંચાલન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક શ્રી જીગ્નેશ પારેખ (સીએમએ), તેમજ ડો. શત્વીનંદર કૌર ધાંન્જલે કર્યું હતું. આમ સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય શ્રી ડો. પૂનમબી. ચૌહાણે સેમીનારના મુખ્ય વક્તા સી.એ. શ્રી જીતેન્દ્ર વર્માના, દરેક વિદ્યાર્થીગણ તેમજ સ્ટાફમિત્રોનો આભાર વ્યક્ત કરી સી.એ.ના ક્ષેત્રમાં ઉજવળ કાર્કીર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.